________________
અમદાવાદમાં વિક્રમ સંવત્ ૧૯૫ મહા વદિ ૧૨ ના દિવસે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય નીતિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થઈ હતી અને મારાં મેટા માસી સાધ્વીજી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા)નાં તેઓ શિષ્યા થયાં હતાં. તેમનું નામ સાદવજી મનેહરશ્રીજી છે. અત્યારે તેમની ઉંમર ૯૧ વર્ષની છે.
પૂજ્યપાદ પિતાશ્રી ગુરૂદેવે આ અસાર અને વિષમ સંસારમાંથી પ્રભુના સાચા માર્ગે ચડાવીને અમારે સર્વને મહાન ઉદ્ધાર કર્યો છે, તેથી પૂજ્યપાદ ગુરૂદેવને અમારા ઉપર અનંત અનંત ઉપકાર છે.
પૂજ્યપાદ ગુરૂદેવશ્રીના અનંત ઉપકાને, પરમાત્માની કૃપાથી આત્મસાત્ કરીને, અને જન્મ જન્મ આ સદૂગુરૂદેવને પ્રાપ્ત કરીને અમે શીઘ્રમેવ સિદ્ધપદને પ્રાપ્ત કરીએ એવી પ્રભુ પાસે ઉત્કટ અભિલાષાથી પ્રાર્થના કરીને અહીં વેડ ગ્રામનાં જિનપ્રાસાદમાં વિરાજમાન શાસનનાયક પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના કરકમલમાં આ લઘુ પુસ્તિકા ભક્તિભાવથી અર્પણ કરીને આજે અતિઆનંદ અને ધન્યતા અનુભવું છું.
–પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી પટ્ટલિંકારપૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી શિષ્યપૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાતેવાસી
મુનિ જંબૂવિજય
વિક્રમ સં. ૨૦૪૧, આષાડ સુદિ ૧, (તા. ૧-૬-૮૫) બુધવાર, વેડ (તાલુકે- સમી) (જિલ્લો- મહેસાણું) ઉત્તર ગુજરાત,
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org