SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્થાન [૨૯ નિર્માણ થયેલી એક વસ્તુ છે. ઈચ્છાને રોધ એજ તપસ્યા છે. અને એ તપસ્યા કરવા માટે જ માણસ સાધુ થાય છે. વિચારોનું આંદોલન ખૂબ થયું. માનનીય આત્મબંધુ મુનિરાજશ્રી જયંતવિજયજી, મુનિશ્રી વિશાળવિજયજી, મુનિશ્રી હિમાંશુવિજયજી, મુનિશ્રી નિપુણુવિજયજી, મુનિશ્રી દાનવિજયજી અને મુનિ જીવવિજયજી-એમણે સાથ આપ્યો અને સાથે ચાલવા તૈયાર થયા. પ્રસ્થાન. સંઘના ડેપ્યુટેશનને અમારે નિર્ણય જણાવ્યો – “ચાલે અમે સિંધમાં આવવા તૈયાર છીએ.” શ્રી જયતવિજયજી મહારાજે ઉમેર્યું: “પણ એક શર્ત છે, એક ચોમાસાથી વધારે રહેવાની વિનતિ તમારે ન કરવી.” શેઠીઆઓએ જવાબ આપ્યું: “ વિનતિ કરવી એ તે અમારે ધર્મ છે, છતાં આપ અમારા સંઘનું માન રાખો છે, તે “ અમે આગ્રહ નહિ કરીએ.” વ્યવહારકુશળ ગ્રહના “અમે'ની શી મતલબ હતી ? એની ખબર તે, કરાચીમાં એક ચોમાસુ પૂરૂ કરીને વિહારની અનુમતિ માગી, ત્યારે જ પડી કે – અમે” એટલે ત્યાં આવેલા ૫-૬ ગૃહસ્થજ; બાકી સંઘના પંદર માણસને ગમે તેવો આગ્રહ કરવાને હક્ક હતો. અસ્તુ. સિંધ તરફ વિહાર કરવાની સ્વીકૃતિ, પેલા ઉપવાસ ઉપર જવાને નિર્ણય જાહેર કરનાર ભાઈ ચતુર્ભુજ ઉપર આ શબ્દોથી લખી મોકલી – ઉપવાસ ઉપ૨ જવાના સત્યાગ્રહની સૂચનાએ મારા દિલને હચમચાવી મૂકયું હતું. આખરે તમારી અને કરાચીના સમસ્ત શ્રીસંધની-ન્હાના મેટા સૌની આંતરિક લાગણી અને ભક્તિએ વિજય મેળવ્યે છે. પાલીતાણા જવાની દભાવના, એકપણું સાધુની સિંધમાં નહિં જ આવવાની મક્કમતા, આ બધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy