SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬] મારી સિંધિયાત્રા આજે કરાચીમાં કોઈ પણ કોમના ગુજરાતીઓ નજરે પડશે, કચ્છી, લુહાણ, ભાટિયા, જન, વેરા, ખેજા, મેચી, હજામ, વાઘરી, મેઘવાળ અને કડિયા, મિસ્ત્રી, સુતાર–આદિ તમામ કોમ છે. | ધામિક દૃષ્ટિએ વિચારીએ તે કોઈપણ ધર્મના અનુયાયીઓ કરાચીમાં મૌજૂદ જણાશે. સનાતની કે જન, રામાનુજ કે વલ્લભસંપ્રદાયી, કબીરપંથી કે સ્વામીનારાયણી, પારસી કે મુસલમાન-સૌ કોઈ ધર્મના અનુયાયિઓ કરાચીમાં છે. ધર્મ એ તે મનુષ્યની સાથે સાથે છાયાવત્ ચાલનારી વસ્તુ છે. જ્યાં માણસ જાય ત્યાં તેનો ધર્મ યે જાય. તેજ હિસાબે દરેક ધર્મવાળાઓએ પોતપોતાનાં ધર્મસ્થાનકે બનાવી આ “અનાર્ય' કહેવાતી ભૂમિને પણ “આર્યભૂમિ' બનાવી છે. અને તેમ કરીને આર્યોનું આદિ “નિવાસસ્થાન સિંધ છે, 'એ કથનને પુનર્જીવન આપ્યું છે. શરુઆત ક્યારે થઇ? એ કહેવાની ભાગ્યેજ જરૂર છે કે સિંધ એ કચ્છ અને ગુજરાત કાઠિયાવાડથી વધારે દૂર નથી. પરંતુ આટલા નજીકના મુલકમાં પણ આવવું ઘણું કઠણ હતું. કચ્છનું રણ ઉલંઘવું કે થરપારકર જીલ્લાના રેતીના પહાડ ઉલ્લંઘવા, એ કંઈ રહેલી વાત નથી. અત્યારે જૈન સાધુઓને ગુજરાત કાઠિયાવાડથી કે મારવાડ-મેવાડથી સિંધમાં આવવું જેટલું કઠણ છે, એના કરતાં વધારે કઠણ તે વખતે ગૃહસ્થને સિંધમાં આવવાનું હતું. છતાં સાહસ શું કામ નથી કરી શકતું? પુરુષાર્થ કઈ સિદ્ધિ નથી મેળવી આપતું ? અને તેમાં કે જ્યારે પેટનો સવાલ આવીને ઉભો થાય છે, ત્યારે માણસ ન કરવાનું અને અશક્યમાં અશકય સાહસ પણ ખેડી નાખે છે. Jain Education International For Private & Personal Use Only For Pu www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy