SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ છે. તે વિરૂદ્ધ કે આડે માર્ગે જવું જોઈએ નહિં તથા વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિ, કે જેઓ ત્યાં (ગુજરાતમાં છે, તેમના હાલની ખબરદારી કરી, જ્યારે ભાનુચ અને સિદ્ધિચંદ્ર ત્યાં આવી પહોંચે ત્યારે તેમની સાર સંભાળ રાખી જે કામ કરવાનું તેઓ રજૂ કરે, તેને સંપૂર્ણ કરી આપવું જોઈએ, કે જેથી તેઓ છત કરનારા રાજ્યને હમેશાં (કાયમ) રહેવાની દુઆ કરવામાં સુખી મનથી કામે લાગેલા રહે. વળી ઉના પરગણામાં એક વાર્ત છે, કે જ્યાં તેમણે પોતાના ગુરૂ હીરજીનાં પગલાં સ્થાપન કર્યા છે, તેને જૂના રિવાજ પ્રમાણે વેરા વિગેરેથી મુકત જાણી તે સંબંધી કંઈ હરકત કે અડચણ કરવી નહિં. લેખ (થ) તા. ૧૪, શહેરીવર મહીને, સને ઈલાહી ૫૫. પેટને ખુલાશે. - મહીને ફરવરદીન; તે દિવસો કે જે દિવસમાં સૂર્ય એક રાતમાંથી બીજી રાશીમાં જાય છે; ઈદને દિવસ, મેહરના દિવસે; દરેક મહીનાના રવિવારે; તે દિવસ કે જે સૂફિયાના દિવસની વચમાં આવે છે; રજબ મહીનાને સેમવાર; અકબર બાદશાહના જન્મને મહીને-જે આબાન મહીને કહેવાય છે, દરેક શમશી (Solar ) મહીનાને પહેલે દિવસ, કે જેનું નામ એમજ છે, બાર બરકતવાળા દિવસે, કે જે શ્રાવણ મહીનાના છેલ્લા છ દિવસ અને ભાદરવાના પહેલા જ દિવસે છે. અલાહુ અકબર. નકલ અસલ મૂજબ છે. સિકકે. (આ સિક્કાના અક્ષર વાંચી શકાતા નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy