SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ચિં ત ન–કણિકા જે વિચારો, જે વચને અને જે આચરણે આત્માને સ્વભાવ ભણી આકર્ષે અથવા સ્વભાવમાં જેડે, તે ધર્મ.. કેવલજ્ઞાની ભગવાનના અવિરોધી એવા વચનના અનુસાર મૈત્રી આદિ સાત્વિક ચાર ભાવનાઓવાળું, જે અનુષ્ઠાન થાય તે ધર્મ છે અને એ વચનેના અનુસાર મૈત્રી આદિ ચાર ભાવનાઓવાળું જીવન જેઓ જીવે તેઓ યથાર્થ ધમી છે. શાસ્ત્રાદિનું પઠન એ દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપનું જાણવું તે ભાવજ્ઞાન છે. સમ્યકત્વ વિના ભાવજ્ઞાન થતું નથી. વાચના (વાંચવું), પૃચ્છના (પૂછવું), પરાવર્તન (ફરી ફરી વિચારવું) અને ધર્મકથા (ધર્મવિષયની કથા) કરવીએ ચાર દ્રવ્ય છે અને પાંચમી અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમના ચાર અનુપ્રેક્ષા (મનનરૂપ ઉપગ) ન આવે તે દ્રવ્ય રૂપ સમજવા. જીવ-અવ આદિ તત્તનું જ્ઞાન પણ આત્મજ્ઞાન માટે જ છે. એટલે જીવાદિને જાણવું એ આત્મજ્ઞાનનું જ પ્રયજન છે. ક્રિયા વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા સફળ નથી, એટલે ક્રિયા હોય તે જ જ્ઞાન કહેવાય છે અને જ્ઞાન હોય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy