SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમા દિવસે ભણાવવા યોગ્ય અંતરાય કમ દૂર કરવા માટે પૂજાષ્ટક, પ્રથમ જળપૂજા શ્રી શંખેશ્વર શિર ધરી, પ્રણમી શ્રી ગુપાય; વંછિતપદ વરવા ભણી, ટાળીશું અંતરાય. ૧ જિમ રાજા રી શકે, દેતાં દાન અપાર; ભંડારી ખીજ્યો કે, વારતે તેણી વાર, તિમ એ કર્મ ઉદય થકી, સંસારી કહેવાય; ધર્મ કર્મ સાધન જાણી, વિઘન કરે અંતરાય, ૪. અરિહાને અવલંબિને, તરિકે ઇણ સંસાર; અંતરાય ઉછેદવા, પૂજા પ્રકાર, ૪. દુહાને અથ– શ્રી શંખેશ્વર પ્રભુને ચરણે મસ્તક નમાવી, શ્રી ગુરુભગવંતના ચરણમાં પ્રણામ કરી, વાંછિત પદ મેળવવા અંતરાય કર્મને ટાળશું. ૧ જેમ રાજા ખુશ થયે થકે પુષ્કળ દાન આપવા ભંડારીને હૂકમ કરે, પણ જો ભંડારી ખીજે હોય તે અટકાવે છે, તેમ આ અંતરાયકર્મના ઉદયથી જીવ સંસારી કહેવાય છે. ધર્મ-કર્મના સાધનોમાં આ અંતરાયકર્મ વિહન કરે છે. ૨-૩ અરિહંત પરમાત્માના આલંબનથી આ સંસાર તરી શકાય છે. તેથી અંતરાયકમને ઉછેર કરવા પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરીએ. ૪ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy