________________
પૂજાસંગ્રહ સાથે
મંત્ર-૩ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાલ શ્રીમતે વીરજિનેન્દ્રાય અજ્ઞાન છેદકાય જલ યજામહે સ્વાહા.
બીજી ચંદન પૂજા
દુહા મૂળ પ્રકૃતિ એક છે, ઉત્તર પ્રકૃતિ પાંચ; મેહ સમે પણ નવિ સમે, વિણ ખાયકની આંચ. ૧ તિણે તેહિ જ વિધિ સાધવા, પૂજે અરિહા અંગ;
સિદ્ધ સ્વરૂપ હૃદય ધરી, ઘેલી કેસર રંગ. ૨ મંત્રને અર્થ
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મરણને નિવારનાર અજ્ઞાનને નાશ કરનાર એવા શ્રી વીરજિબેંકને જળવડે અમે પૂજીએ છીએ. આ પૂજા અજ્ઞાનને ઉછેદ કરવા માટે છે. દહાનો અર્થ :–
જ્ઞાનાવરણીય કર્મની મૂળ પ્રકૃતિ એક છે, અને ઉત્તર પ્રકૃતિ પાંચ છે. મેહનીય કમ ક્ષપકશ્રેણું માંડ્યા વિના પણ ઉપશમભાવ પામે છે, પણ આ જ્ઞાનાવરણીય કર્મ ક્ષકશ્રેણીની આંચ–ગરમી લાગ્યા વિના શમતું નથી. અર્થાત્ નાશ પામતું નથી. ૧
તે કારણથી તે ક્ષણશ્રેણીની વિધિ સાધવા માટે સિદ્ધ ભગવંતના સ્વરૂપનું હૃદયમાં ધ્યાન કરી કેસર ઘોળીને અરિહંત ભગવંતેની અંગપૂજા કરો. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org