SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પૂજાસંગ્રહ સાથે વિમળાચળ સિદ્ધરાજ ભગીરથ, પ્રણમીજે સિદ્ધક્ષેત્ર સુo છરી પાળી એણે ગિરિ આવી, કરીએ જન્મ પવિત્ર. સુo ૬ પૂજાએ પ્રભુ રીઝવું રે, સાધુ કાર્ય અનેક; સુo શ્રી શુભવીર હૃદયમાં વસજો, અલબેલા ઘડી એક, સુo ૭ કાવ્ય (દુતવિલંબિતવૃત્તમ ) ગિરિવર વિમલાચલનામકં, ગષભમુખ્યજિનાધિપવિત્રિતમ હરિ નિવેશ્ય જલૈંજિનપૂજન, વિમલમાય કરેમિ નિજાભકમ ૧ રૈવતગિરિ (ગિરનાર) એ આ તીર્થની પાંચમી ટૂંક હોવાથી એ પાંચમું નામ પ્રસિદ્ધિ પામેલ છે. ૫ છઠું નામ વિમળાચળ, સાતમું નામ સિદ્ધરાજ, આઠમું નામ ભગીરથ અને નવમું નામ સિદ્ધક્ષેત્ર છે, તેને પ્રણામ કરીએ. છરી? (૧ સચિત્ત પરિહારી, ૨ એકલઆહારી, ૩ પાદચારી, ૪ ભૂમિસંથારી, ૫ બ્રાચારી, ૬ આવશ્યક દાયવારી) પાળતાં આ ગિરિપર આવી-ચાત્રા કરી માનવજન્મને પવિત્ર કરીએ. ૬ પ્રભુની પૂજા કરી પ્રભુને પ્રસન્ન કરું અને મારા અનેક કાર્યોને સાધું, શ્રી શુભવિજયના શિષ્ય પં. વીરવિજયજી મહારાજ કહે છે, કે-હે અલબેલા પ્રભુ ! તમે એક ઘડી પણ મારા હૃદયમાં વસજે કે જેથી મારાં કાર્ય સિદ્ધ થાય. ૭ કાવ્યને અર્થ-અષભદેવ વગેરે જિનેશ્વરના ચરણથી પવિત્ર થયેલ વિમલાચલ નામના ગિરિને હૃદયમાં સ્થાપન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy