________________
પંચકલ્યાણક પૂજા સાથે
જન્મકલ્યાણકે પાંચમી ચંદનપૂજા
દુહા અમૃતપાને ઉછર્યા, રમતા પાર્શ્વકુમાર; અહિ લંછન નવ કર તન, વરતે અતિશય ચાર. યૌવનવય પ્રભુ પામતાં, માતપિતાદિક જેહ, પરણાવે નુપુત્રિકા, પ્રભાવતી ગુણગેહ, ૨ ચંદન ઘસી ઘનસારશું, નિજ ઘર ચૈત્ય વિશાળ પૂજોપગરણ મેળવી, પૂજે જગત દયાળ.
કુહાનો અર્થ-ઇંદ્ર અંગુઠામાં સંચાર કરેલ અમૃતનું પાન કરતાં અને રમત કરતાં શ્રી પાર્શ્વકુમાર મેટા થવા લાગ્યા. સર્પના લંછનવાળા પ્રભુ અનુકમે નવ હાથના શરીરવાળા થયા. અને જન્મથી ચાર અતિશય (૧ શ્વાસોચ્છવાસ સુગંધી હોય, જે શરીર મળ–પ્રસ્વેદ અને રેગ રહિત હોય, ૩ આહાર ચર્મચક્ષુવાળા ન દેખે તેમ હોય, ૪ રુધિર દુધ જેવું કત હોય) વર્તતા હતા. ૧
પ્રભુ યૌવનવય પામ્યા ત્યારે માત-પિતાએ ગુણેના ઘર સરખી પ્રસેનજિત રાજાની પુત્રી પ્રભાવતી સાથે પરણાવ્યા. ૨
જગત્ પર દયા કરનાર પ્રભુની પ્રતિમાની ઘનસાર સહિત ચંદન ઘસીને બીજા પણ પૂજાના ઉપકરણે મેળવી પિતાના ગૃહચૈત્યમાં અને વિશાળ એવા નગરના ચૈત્યમાં પૂજા કરો. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org