SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરિષહ એ શું છે? ૫૩ સમાજમાં સ્ત્રી અને પુરુષમાં તપ કરવાનું અને ખમીખાવાનું અસાધારણ બળ પડયું હોય ત્યારે આપણે આપણું માટે પરદેશના લોકેાને શા માટે હેરાન કરવા જોઈએ ? એટલે આજે સ્વરાજ્ય મેળવવામાં કહે કે તેને સાચવવામાં કહે, જેટલા બળની દરકાર છે તે બધું જ આપણી પાસે છે. ફક્ત ખામી હોય તો એટલી જ છે કે તેને ઉપયોગ કેઈ નિશ્ચિત ઉદેશમાં વ્યવસ્થિત રીતે થતો નથી. ફક્ત આપણું દેશની સ્ત્રીઓમાં જ જે તપ કરવાનું અને આફતો સહન કરવાનું બળ છે અને જેટલું બળ આજકાલ તેઓ તેમાં વાપરે છે, તે બહેને ધારે તો એટલા જ બળના વ્યવસ્થિત અને વિચારપૂર્વક ઉપયોગથી પુરુષોની જરાપણું મદદ સિવાય સ્વરાજ મેળવી શકે. કારણ કે આજની રાષ્ટ્રીય પ્રવૃત્તિની સફળતા માત્ર તપસ્યા ઉપર જ, અને સહનશીલતા ઉપર જ અવલંબેલી છે,–જે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં છે. એટલે આજે આપણે હજાર વર્ષના વારસાને સુંદરતમ ઉપગ કરવાની તક પ્રાપ્ત થઈ છે, એને ઉપયોગ કરો અને એ દિશામાં વિચાર કરવો એમાં જ આપણું આ પર્યુષણની આંશિક સફળતા છે. કોઈ એમ ન ધારે કે અત્યારે આ જે મેજું ચાલી રહ્યું છે, તેનો લાભ લઈ બોલનારાઓ તપ અને પરિષહ જેવી આધ્યાત્મિક કીંમતી વસ્તુઓને વેડફી નાખવા માગે છે. ખાત્રીથી માનજે કે અહીં એ વાત જ નથી. અહીં તે ઉદ્દેશ એટલી છે કે જે બળ આપણુમાં છે, અસ્તવ્યસ્ત થયેલું છે અને જેનો અત્યારે આધ્યાત્મિક, કે આધિભૌતિક ક્ષેત્રમાં કશો જ ઉપયોગ નથી થતા તે બળને ચાલુ પ્રવૃત્તિમાં લગાડી તેની વધારે કીંમત સિદ્ધ કરવી. જે એમ થાય તે દુનિયાની દષ્ટિમાં જૈન તપ અને પરિષહનું કેટલું મહત્વ વધે? ફક્ત મહાત્માજીએ પિતાના આચરણદ્વારા ઉપવાસનું કેટલું મહત્ત્વ વધારી મૂકયું છે? આજે એમના ઉપવાસની અનેક દૃષ્ટિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy