SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જુદી જુદી કા દિશાઓને અભાવે વલખાં મારતા તરુણ વિદ્યાર્થી વ ગારક્ષા અને પાંજરાપેાળના અભ્યાસ પાછળ શકાઈ જાય અને એ સંસ્થાઓની ઉપયેાગિતા તેમજ વ્યાપકતા ખીલવવા ખાતર તેની તેની પાછળ બુદ્ધિ ખર્ચે, એ કામમાં પણ અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનને અવકાશ છે. જેને અભ્યાસ જ કરવા હાય અને એડમલિયા થયા સિવાય સાચું કામ કરવું હાય, તેમજ દેશેાયેગી નવું સર્જન કરવું હાય, તેને માટે ગારક્ષા અને પાંજરાપાળને લગતી સેકડા બાબતા અભ્યાસ માટે પડી છે. એમાંથી દુગ્ધાલયનું કામ, લેકાને નિર્દોષ ચામડાં પુરા પાડવાનું કામ, નિર્દોષ ખાતર વિગેરેથી ખેતીવાડીને મદદ કરવાનું કામ અને એ સંસ્થાઓની પશુપાલન તેમ જ પવનની શક્તિ વધારવાનું કામ એ બધું કરી ાકાય તેમ છે; અને જીવન નિર્વાહ માટે સમાજને કે બીજાને ખેાજ થયા સિવાય તેમજ ગુલામી કર્યાં સિવાય એક નવી દિશા ઉધાડી શકાય તેમ છે. ઝવેરાતના, અનાજના, કાપડના, સટ્ટાના કે દલાલીના કાઈ પણ્ ધંધા કરતાં, આજકાલની શાસ્ત્રીય દૃષ્ટિએ ગારક્ષા અને પાંજરાપેાળની સસ્તાષ વૃત્તિથી સેવા કરવાના ધંધા, જરાય ઉતરતા નથી. આ દિશામાં સેકા ગ્રેજ્યુએટ કે પડિતાને અવકાશ છે. શિક્ષણકાર્ય, સાહિત્યનિર્માણ કાર્ય, અને ખીજાં તેવાં ઉચ્ચ ગણાતાં બૌદ્ધિક કાર્યાં કરતાં આ કામ ઉલટું ચડે તેવું છે; કારણકે એમાં બુદ્ધિ ઉપરાંત પ્રત્યક્ષ કાર્ય કરવાનું છે. યુરેાપ અને અમેરિકામાં આ વિષયના ખાસ અભ્યાસિયાના મેાટા વ છે. તે લેાકાતે અનેક રીતે નાન આપે છે, અને પશુપાલનના નવા નવા માર્ગ શોધી તેની આબાદી અને સર્જનની શક્તિ વધાર્યે જ જાય છે. આપણે જે કુંડા કરી પશુપખીઓને બચાવીએ છીએ તે મા બંધ કરવાની જરુર તેા નથી જ, પણ હંમેશને માટે સ્થાયી કતલ બંધ કરવાના કે તેને તદ્દન ઘટાડી દેવરાવવાના ઉપાય, આજે આજકાલની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy