________________ અહિંસા અને અમારિ અને શારીરિક પ્રવૃત્તિ ઉપર રાજદંડ પિતાનું બિહામણું મોટું ફાડી ઉભો હોય, સ્વતંત્ર આત્માનાં બધાં જ વહેણો રાજભયથી અને શંકાના વાતાવરણથી થંભી ગયા હોય ત્યાં શુદ્ધ ધર્મ જેવી વસ્તુનો. સંભવ જ રહેતો નથી. તેથી શુદ્ધ ધર્મની દૃષ્ટિએ પણ રાજકીય ગુલામી દૂર કરવા ખાતર સૌથી પહેલાં આપણું દેશવાસી ભાઈઓને જોઈતી મદદ આપવા તરફ જ સર્વ પ્રથમ લક્ષ અપાવું જોઈએ અને આપણે બધાની મદદ આપવાની સર્વશક્તિ, દેશની ગુલામી દૂર કરવામાં વપરાવી જોઈએ. એ જ અત્યારની આપણી અમારિ (અહિંસા) છે. જે આપણે રાજકીય ગુલામીમાં ન હોઈએ તો આપણું દેશમાં દિન ઉગે લાખ દૂધાળ અને ખેતી ઉપયોગી પ્રાણીઓને નાશ થાય છે તે થાય જ નહિ. આપણે આપણી ઈચ્છા પ્રમાણે દેશની વ્યવસ્થા કરી શકીએ અને કઈ પણ વર્ગને ગુલામીમાં રાખ્યા સિવાય જેટલી વ્યવહારમાં શક્ય હોય તેટલી સૈને સ્વતંત્રતા આપી શકીએ. હવે છેલ્લે જોવાનું એ રહે છે કે ત્યારે કઈ રીતે અને ક્યા કયા ક્ષેત્રમાં આપણું દયા દેશવાસીઓમાં વહેંચાવી જોઈએ. આ. બાબતને નિર્ણય કરવાનો આધાર આજની આપણી દેશદશા ઉપર રહેલો છે. કયું કયું અંગ નબળું છે અને કયું કર્યું અંગ પિષણ માગે છે તેમ જ કયા અંગમાં વધારે પડતો ભરાવો થવાથી સડાણ ઉભું થયું છે એ તપાસીને જ આપણું સખાવતને અને બુદ્ધિ તેમજ શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. (1) ખેડૂતો, મજૂર, આશ્રિત કરે અને દલિતવર્ગ એ બધા પોતાના પરસેવાના ટીપાના પ્રમાણમાં કશું જ નથી પામતા. ઉલટું તેમના લોહીનું છેલ્લું ટીપું તેમના ઉપર કાબુ ધરાવનાર જ ચૂસી લે એવી દશા વર્તે છે. (2) ઉદ્યોગ ધંધા અને કળાહુન્નર ભાંગી પડવાથી તેમજ નિરાધાર થઈ જવાથી તેના ઉપર નભતા કારીગરવર્ગ અને બીજા વર્ગોની પોતાના જ દેશમાં જુવાની છતાં ઘડપણ જેવી પાંગળા સ્થિતિ થઈ ગઈ છે. (3) ભણેલ, ગણેલ અને વકીલાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org