________________ સાપ અને ભાવનાને થતું અહિંસા અને અમારિ 23 અહિંસા કે અમારિનાં બે રૂપિ છે. (1) નિષેધાત્મક (નકાર), (2) તેમાંથી જ ફલિત થતું ભાવાત્મક (હકાર). કેઈને ઈજા ન કરવી કે કેાઈને પિતાના દુઃખના તેની અનિચ્છાએ ભાગીદાર ન કરવા એ નિષેધાત્મક અહિંસા છે. બીજાના દુ:ખમાં ભાગીદાર થવું અગર તે પિતાની સુખ સગવડનો લાભ બીજાને આપવો એ ભાવાત્મક અહિંસા છે. એ જ ભાવાત્મક અહિંસા દયા અગર તે સેવા તરીકે જાણીતી છે. સગવડ ખાતર આપણે અહીં ઉક્ત બન્ને પ્રકારની અહિંસાને અનુક્રમે અહિંસા અને દયાના નામથી ઓળખાવીશું. અહિંસા એ એવી વસ્તુ છે કે જેની દયા કરતાં વધારેમાં વધારે કીંમત હોવા છતાં તે દયાની પેઠે એકદમ સૌની નજરે નથી ચડતી. દયાને લેકગમ્ય કહીએ તો અહિંસાને સ્વગમ્ય કહી શકાય. જે માણસ અહિંસાને અનુસતે હેય તે તેની સુવાસ અનુભવે છે. તેનો ફાયદો તે અનિવાર્ય રીતે બીજાઓને મળે જ છે. છત ઘણીવાર એ ફાયદો ઉઠાવનાર સુદ્ધાને એ ફાયદાના કારણે અહિંસાતત્ત્વને ખ્યાલ સુદ્ધાં નથી હોતો, અને એ અહિંસાની સુંદર અસર બીજાઓના મન ઉપર પડવામાં ઘણીવાર ઘણે લાંબો વખત પસાર થઈ જાય છે. જ્યારે દયાની બાબતમાં એથી ઉલટું છે. દયા એ એવી છે કે તેને પાળનાર કરતાં ઘણીવાર તેનો લાભ ઉઠાવનારને જ વધારે સુવાસ આવે છે. દયાની સુંદર અસર બીજાઓના મન ઉપર પડતાં વખત જતો જ નથી. તેથી દયા એ ઉઘાડી તરવાર જેવી સૌની નજરે આવે એવી વસ્તુ છે, તેથી તેને આચરવામાં જ ધર્મની પ્રભાવના દેખાય છે. સમાજના વ્યવસ્થિત ધારણ અને પોષણ માટે અહિંસા તેમજ દયા બનેની અનિવાર્ય જરૂર છે. જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં જેટલે અંશે બીજા ઉપર ત્રાસ વધારે ગુજરતો હોય, નબળાના હકકે વધારે કચરાતા હોય તે સમાજ કે તે રાષ્ટ્ર તેટલો જ વધારે દુઃખી અને ગુલામ. તેથી ઉલટું જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં એક વર્ગને બીજા વર્ગ ઉપર, કે એક વ્યક્તિને બીજી વ્યક્તિ ઉપર જેટલે ત્રાસ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org