________________ અહિંસા અને અમારિ માનવ પ્રકૃતિમાં હિંસા અને અહિંસાના બને તો સમાયેલાં છે. હિંદુસ્તાનમાં તેના મૂળ વતનીઓની અને પાછળથી તેમના વિજેતા તરીકે જાણીતા આર્યોની જાહોજલાલી વખતે અનેક જાતનાં કાળિદાને તેમજ યજ્ઞયાગની ભારે પ્રથા હતી અને એમાં માત્ર પશુઓ કે પંખીઓ જ નહિ પણ મનુષ્ય સુદ્ધાંની બળિ અપાતી. ધાર્મિક ગણતા હિંસાને આ પ્રકાર એટલી હદ સુધી વ્યાપેલ હતો કે તેના અસાધાતથી બીજી બાજુએ એ હિંસાને વિરોધ શરૂ થયો હતો, અને અહિંસાની ભાવનાવાળા પંથે ભગવાન મહાવીર અને બુદ્ધ આ પાનું સ્થપાઈ ગયા હતા. એમ છતાં અહિંસા તવના અનન્ય પિષક તરીકે અને અહિંસાની આજની ચાલુ ગંગાની ગંગોત્રી તરીકે તે જે બે મહાન ઐતિહાસિક પુરુષો આપણી સામે છે તે ભગવાન મહાવીર અને બુદ્ધ જ છે. એમના સમયમાં અને એમના પછી હિંદુસ્તાનમાં અહિંસાને જે પોષણ મળ્યું છે, તેને જેટજેટલી રીતે અને જેટજેટલી દિશામાં પ્રચાર થયો છે તેમજ અહિંસા તત્ત્વપરત્વે જે શાસ્ત્રીય અને સૂક્ષ્મ વિચાર થયા છે એની જોડ હિંદુસ્તાનની બહારના કોઈપણ દેશના ઈતિહાસમાં મળી શકે તેમ નથી. દુનિયાના બીજા દેશો અને બીજી જાતિઓ ઉપર અસાધારણ પ્રભાવ પાડનાર, તેમને જિતનાર અને કાયમને માટે તેમનાં મન હરી લેનાર હિંદુસ્તાનમાં રાઈ તત્વ ઉદ્દભવ્યું હોય તો તે હજારો વર્ષથી આજ સુધી સળંગ ઓછેવત્તે અંશે ચાલ્યું આવેલું અને વિકાસ પામેલું અહિંસા તત્ત્વ જ છે. આજ પણ ગુલામીગ્રસ્ત હિંદુસ્તાનનું તેજ જે કાંઈ હોય તો તે માત્ર અહિંસા અને અહિંસા જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org