________________
૧૫૮
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને શાસ્ત્રનો કે ન હોય અને તે વિચારો વિના જીવવું સમાજ માટે અશકય દેખાતું હોય તે હવે શું કરવું? શું એ વિચારેને જૂના શાસ્ત્રની ઘરડી ગાયના સ્તનમાંથી જેમ તેમ દોહવાં ? કે એ વિચારેનું નવું શાસ્ત્ર રચી જૈનશાસ્ત્રમાં વિકાસ કરવો ? કે એ વિચારને સ્વીકારવા કરતાં જેનસમાજની હસ્તી મટવાને કીંમતી ગણવું ?
૩. મોક્ષને પથે પડેલી ગુરુસંસ્થા ખરી રીતે ગુરુ એટલે માર્ગદર્શક થવાને બદલે જે અનુગામીઓને ગુરુ એટલે બોજા રૂપ જ થતી હોય અને ગુરુસસ્થારૂપ સુભૂમચક્રવર્તીની પાલખી સાથે તેને ઉપાડનાર શ્રાવકરૂપ દેવો પણ ડૂબવાની દશામાં આવ્યા હોય તો શું એ દેવોએ પાલખી ફેંકી ખસી જવું ? કે પાલખી સાથે ડૂબી જવું ? કે પાલખી અને પોતાને તારે એવો કોઈ માર્ગ શોધવા થોભવું ? જે એવો માર્ગ ન જ સૂઝે તો શું કરવું? અને સૂઝે તો તે માર્ગ જૂના જેનશાસ્ત્રમાં છે કે નહિ અગર તે આજ સુધીમાં કેાઈએ અવલંબેલો છે કે નહિ, એ જેવું?
૪. ધંધા પરત્વે પ્રશ્ન એ છે કે ક્યા કયા ધંધા ગુણજૈનત્વ સાથે બંધ બેસે અને કયા કયા ધંધા જૈનત્વના ઘાતક બને ? શું ખેતીવાડી, લુહારી, સુતારી, અને ચામડાને લગતાં કામ, દાણાદુણીનો વ્યાપાર, વહાણવટું, સિપાહિગીરી, સાંચાકામ વગેરે જૈનત્વના બાધક છે ? અને ઝવેરાત, કપડાં, દલાલી, સટ્ટો, મીલમાલેકી, વ્યાજવટાવ વગેરે ધંધાઓ જૈનત્વના બાધક નથી અગર એાછા બાધક છે ?
ઉપર આપેલા ચાર પ્રશ્નો તે અનેક એવા પ્રશ્નોમાંની વાનગી માત્ર છે. એટલે આ પ્રશ્નનો ઉત્તર જે અહીં વિચારવામાં આવે છે તે જે તર્ક અને વિચારશુદ્ધ હોય તે બીજા પ્રશ્નોને પણ સહેલાઈથી લાગુ થઈ શકશે. આવા પ્રશ્નો ઉભા થાય છે તે કાંઈ આજે જ થાય છે એમ કાઈ ન ધારે. એાછા વધતા પ્રમાણમાં અને એક અથવા બીજી રીતે આવા પ્રશ્નો ઉભા થએલા આપણે જૈનશાસ્ત્રના ઈતિહાસમાંથી અવશ્ય મેળવી શકીએ છીએ. જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આવા પ્રશ્નો ઉત્પન્ન થવાનું અને તેનું સમાધાન ન મળવાનું મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org