SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને પંથ ૧૧૩ પંચમહાવ્રતને, આત્માને અમરત્વને, કર્મને, પુનર્જન્મને, મુક્તિનાં સાધન તરીકે જ્ઞાન દર્શન અને ચારિત્રને, અને એવી બીજી અનેક મહત્ત્વની વસ્તુઓને માને છે, તે પછી જે બાબતમાં મતભેદ હોય તેને જ કેમ આગળ ધરવામાં આવે છે ? મનુષ્યને પિતાની અને પિતાના પંથની વિશિષ્ટતા બતાવવાની ઈચ્છા થાય છે, અને તેથી જે તુચ્છ ભેદ હોય છે, તેને જ આગળ લાવે છે. કોઈ “વેતાંબરને દિગંબરના સંબંધમાં પૂછવામાં આવે છે તે એમજ કહે કે “તેમના ગ્રન્થો પાછળથી લખાયેલા છે, અને તેમનામાં સ્ત્રીને દીક્ષા હોય નહિ, અને દિગંબર સ્ત્રીઓ મેક્ષને પામે નહિ!” હવે દિગંબરને પૂછવામાં આવે તે તે પણ એમજ કહે કે “વેતાંબર સંપ્રદાયના ગ્રંથે પાછળથી લખાયેલા છે. વેતાંબર પંથના સાધુઓ મહાવીર પ્રભુ જે દિગંબર હતા તેમની આજ્ઞાને લેપીને શ્વેત વસ્ત્રો પહેરે છે. તેમનો ત્યાગ ધર્મ અમારા જેવો ઉત્કૃષ્ટ નહિ.” આવી રીતે મૂળ વસ્તુને ભૂલી સ્ત્રીઓને મોક્ષ હોય કે ન હોય, સ્ત્રીઓ દીક્ષા લઈ શકે કે નહિ અથવા તો સાધુઓને વસ્ત્રો પહેરવાં કે ન પહેરવાં આ બીન મહત્ત્વની બાબતો પર ભાર મૂકીને બીજા પંથની અવગણના કરવામાં આવે છે. “ સીના નવાાિ િમોક્ષમાર્ગ” એ બાબતમાં શું મતભેદ છે ? ચક્ષુદિ ના ઇષ મુનિ કષાયથી મુક્ત થવું એ જ મુક્તિ છે, એમાં શું મતભેદ છે ? દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મનાં ચાર અંગ છે, તેમાં મતભેદ છે? પંચમહાવ્રતમાં મતભેદ છે ? એકતા બતાવનારાં અનેક તો હોવા છતાં તેને જતાં કરીને ભેદદક બીન મહત્વની બાબતો પર ભાર મૂકવામાં ઝઘડાઓ થાય છે. “વેતાંબર હોય કે દિગંબર હોય, બૌદ્ધ હોય કે અન્ય કોઈ ધમી હાય, પણ જેના હૃદયમાં સમભાવ છે, તે મોક્ષ મેળવશે, એમાં દિલ નથી. જૈનધર્મને સ્યાદાદ અથવા અનેકાંતવાદ કહે છે. જે સ્વાદાનું ખરું સ્વરૂપ સમજે, તે કદાપિ દુરાગ્રહી કે પરમત અસહિષ્ણુ હેઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy