________________
૧૦૦
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન અહીં આવી ન હતી, ત્યારે પણ કોઈએક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો ન થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનમાં વહેંચાઈ જતી. આ રીતે, જૈન સંપ્રદાયમાં જ્ઞાનસંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. વંદા, ઉધઈ અને ઉંદરે તેમજ ભેજ, શરદી અને બીજાં કુદરતી વિનો જ નહિ, પણ ધમધ યવનો સુદ્ધાંએ આ ભંડારો ઉપર પિતાને નાશકારક પજે ફેરવ્યો, હજારો ગ્રંથો તદ્દન નાશ પામ્યા, હજારે ખવાઈ ગયા, હજારે રક્ષાની અને બીજાઓની બેપરવાઈથી નષ્ટભ્રષ્ટ થઈ ગયા, છતાં જ્ઞાન તરફની જીવતી જૈનભક્તિને પરિણામે આજે પણ એ ભંડારે એટલા બધા છે, અને એમાં એટલું બધું વિવિધ તેમ જ જૂનું સાહિત્ય છે કે, તેને અભ્યાસ કરવા માટે સેંકડો વિદ્વાનો પણ ઓછા જ છે. પરદેશના અને આ દેશના, કેડીબંધ શોધક અને વિદ્વાનોએ આ ભંડારની પાછળ વર્ષો ગાળ્યાં છે, અને એમાંની વસ્તુ તથા એને પ્રાચીન રક્ષાપ્રબંધ જોઈ તેઓ ચકિત થયા છે. વર્ષો થયાં કેડીબંધ છાપખાનાંઓને જૈન ભંડારો પૂરતો ખોરાક આપી રહ્યા છે, અને હજી પણ વર્ષો સુધી તેથી વધારે ખેરાક પૂરો પાડશે.
ભંડારે જેમ નામમાં તેમ સ્વરૂપમાં પણ હવે બદલાયા છે. હવે પુસ્તકાલય, લાયબ્રેરીઓ, જ્ઞાનમંદિર અને સરસ્વતીમંદિરોનાં નામ તેઓએ ધારણ કર્યા છે, અને કલમને બદલે બીબામાંથી લખાઈ નવે આકારે બહાર પડતાં જાય છે. ભંડારની જૂની સંગ્રાહક શક્તિ હજી પુસ્તકાલયમાં કાયમ છે. એટલું જ નહિ પણ તે, જમાનાના જ્ઞાનપ્રચાર સાથે વધી છે. તેથી જ આજનાં જૈન પુસ્તકાલય જૂના જૈન ગ્રંથો ઉપરાંત આધુનિક, દેશી, પરદેશી અને બધા સંપ્રદાયના સાહિત્યથી ઉભરાતા ચાલ્યા છે.
બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડાર વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડાર વ્યક્તિની માલિકીના હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org