SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ આહાણવર્ગ ૧૩૩. જે ગંભીર પ્રજ્ઞાવાળ, બુદ્ધિમાન, માર્ગ અને અમાર્ગને - જાણનારે તથા ઉત્તમ સાધ્યને પામેલ હોય, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૧ જે ગૃહસ્થ અને અગ્રહસ્યો એ બન્ને સાથે સંસર્ગ ન રાખતો હોય, અનગારના માર્ગને અનુસરનારે હેાય, અ૮૫ ઇચ્છાવાળા હોય, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૨ ત્રસ અને સ્થાવર * ભૂત એટલે હાલતાં ચાલતાં અને ગતિ વગરના તમામ જી તરફ + દંડને–હિંસાને તજી દઈ જે પોતે કોઈને હણતો નથી અને બીજા પાસે કોઈને હણાવતે નથી, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૩ જે પિતાના વિરોધીઓ તરફ અવિરેધીપણે એટલે મિત્રભાવે વર્તે છે, હિંસા કરનારાઓ તરફ શાંતભાવે વર્તે છે, તૃષ્ણાવાળાઓમાં તૃષ્ણારહિતપણે વતે છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૪ જેમ આરની અણુ ઉપરથી સરસવ પડી જાય, તેમ જેના રાગ, દ્વેષ, માન અને વેરઝેર-ઈષ્ય શાંત પડી ગયાં છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૫ જે કઠોરતા વિનાની અને વિજ્ઞાપન કરનારી એવી સાચી વાણું બોલે છે, વાણુથી કાઈના ઉપર આક્ષેપ કરતો નથી, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૬ આ જગતમાં જે લાંબી કે ટૂંકી, નાની કે મેટી તથા સારી કે નરસી ચોરી કરતો નથી, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૭ * જીવન “ત્રસ અને સ્થાવર' એવા બે ભેદ બૌદ્ધ પરંપરાની પેઠે જૈન પરંપરામાં પણ પ્રસિદ્ધ છે; માટે જ મૂળમાં એ માટે “તસ” અને “થાવર’ શબ્દ મૂકેલા છે. + + જુઓ દંડવર્ગ ગા, ૧ નું ટિપ્પણુ. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy