SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ તૃષ્ણવર્ગ ૧૧૯ ભોગો દુર્મતિવાળા માનવને નાશ કરે છે, સંસારના પારને શોધનારને નાશ કરતા નથી. દુર્મતિવાળો ભેગેની તૃષ્ણાને લીધે પિતાને નાશ કરે છે અને એ જ પ્રમાણે બીજાએને પણ નાશ કરે છે. ૨૨ ઘાસ ઊગી નીકળવું એ જમીનને દેાષ છે, એકબીજા ઉપર રાગ કરવો એ આ પ્રજાને દોષ છે, માટે જેઓ દોષ વગરના છે એટલે વીતરાગ પુરુષ છે, તેમને દીધેલું દાન મહાફળ આપે છે. ૨૩ ઘાસ ઊગી નીકળવું એ જમીનને દોષ છે. એકબીજા ઉપર દ્વેષ કરવો એ આ પ્રજાને દેષ છે, માટે જેઓ દેષ વગરના છે એટલે ષ વિનાના છે, તેમને દીધેલું દાન મહાફળ આપે છે. ૨૪ ઘાસ ઊગી નીકળવું એ જમીનને દોષ છે, એકબીજા ઉપર મેહ કરો એ આ પ્રજાને દેાષ છે, માટે જેઓ દોષ વગરના છે એટલે મોહ વગરના છે, તેમને દીધેલું દાન મહાફળ આપે છે. ૨૫ * આ બધી ગાથાઓમાં “ખેતર'નું ઉદાહરણ આપીને એમ સૂચવેલું છે, કે માનવમાત્રમાં દે સહજ છે; એટલે જેમ વરસાદ પડે કે ખેતરમાં ઘાસ ઊગી જ નીકળવાનું, એ સમયે ખેતરમાં ઘાસની ઊગણીને કઈ રીતે અટકાવી શકાતી નથી, તેમ મનુષ્ય અંગત જીવનના વ્યવહારમાં કે સામૂહિક જીવનમાં આવ્યું કે તેમાં દે આવવાના જ; એટલે જેમ ઊગેલા ઘાસને કાપી નાખવાનાં સાધને શોધાયાં છે, તેમ એ અંગત જીવનમાં કે સામૂહિક જીવનમાં આવતા દેષોને કાપી નાખવાના ઉપાયો શોધી તે દોષોને જડમૂળથી ઉખેડી નાખવાના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy