SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આમવર્ગ ભારે સતાવે છે. ૫ સાલ નામના વૃક્ષ ઉપર પથરાયેલ માલુવાલનીક પેઠે આમામાં ફેલાઈ ગયેલું અત્યંત દુશાલ-દુરાચરણ આત્માનું તેના શત્રુની જેમ બૂરું કરે છે. ૬ આત્માનું અહિત થાય એવાં દુષ્ટકર્મ કરવાં સહેલાં છે; પરંતુ આત્માને જે હિતકારી નીવડે એવું છે અને સારું છે, તેવું કામ કરવું ઘણું જ દુષ્કર છે. ૭ અરહંતના–આના ધર્મ પ્રમાણે જીવનને ચલાવનારાઓના શાસનને દુષ્ટબુદ્ધિવાળા જે માનવ પિતાની પાપમય દૃષ્ટિ વડે નિંદવા તૈયાર થાય, તે વાંસના ફળની પડે પોતાના જ નાશનું ફળ મેળવે છે. ૮ આમાએ કરેલાં પાપને લીધે આમા પોતે જ ભારે કલેશ પામે છે અને પાપ ન કર્યું હોય, તો આત્મા પોતે જ પોતાની જાતે શુદ્ધ થાય છે. પ્રત્યેક આત્માની શુદ્ધિ કે અશુદ્ધિ તેના પોતાના ઉપર નિર્ભર છે; અન્ય કોઈ અન્યને શુદ્ધ કરી શકે નહિ. ૯ ઘણો બધો પરાર્થે થતો હોય, તો પણ આભાર્થને હાનિ થાય એમ ન કરવું. આમાર્થીને બરાબર સમજીને સારી પ્રવૃત્તિમાં ગૂંથાઈ જવું. ૧૦ બારમે આમવર્ગ સમાપ્ત. * આ નામ કોઈ એક વેલનું છે. આ વેલ જે ઝાડ ઉપર ચડે છે, તેનો નાશ કરે છે. બૌદ્ધપિટક ગ્રંથોમાં આ વેલનું ઉદાહરણ ઘણે સ્થળે આવેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy