SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ @GAB C3201 દીન બનેલા નંદે પણ એક રથની અંદર પોતે, પોતાની સ્ત્રીઓ, એક કન્યા અને કેટલુંક મૂલ્યવાન ધન-ઝવેરાત લઈને નગરની બહાર જવા પ્રયાણ ક્યું. અત્યંત ખુશ થયેલા ચંદ્રગુપ્ત-ચાણક્ય અને પર્વતરાજા જેટલામાં નગર પ્રવેશ કરે છે તેટલામાં જ સામેથી આવતા નંદના રથમાં બેઠેલી નંદની પુત્રીની નજર ચન્દ્રગુપ્ત ઉપર પડી, અને તેના ઉપર મોહાઈ પડી. ચકોર નંદની આંખે આ વાત છાની ન રહી, તેણે પુત્રીને કહ્યું બેટા ! જો તને આ ચંદ્રગુપ્ત (યુવાન) ગમી ગયો છે તો જલ્દીથી તેનો આશ્રય કરી લે. સાચેજ રાજપુત્રીઓ સ્વયંવરા કહેવાય છે, જા... જા.... ચંદ્રગુપ્ત પાસે પહોંચી જા, જેથી તારા લગ્નની ચિંતા મને ન રહે, આમ પિતા નંદ તરફથી મળેલી અનુમતિ અનુસાર તે કન્યા રથમાંથી ઉતરીને ચંદ્રગુપ્ત પાસે પહોંચી અને કેટલામાં તેના રથ ઉપર ચડે છે તેટલામાં જ તે રથના નવ આરાઓ ભાંગી ગયા. ‘આ કન્યા અમંગલકારી’’ છે એમ વિચારીને ચન્દ્રગુપ્ત તેને સ્વીકારવાનો નિષેધ કરે છે પરંતુ ચાણક્ય ચંદ્રગુપ્તને રોતાં કહ્યું કે તેનો નિષેદ્ય ન કર. આ નિમિત્તથી ઋદ્ધિ સંપન્ન એવા નવ પુરૂષો (પરંપરા) સુધી તારો વંશ અખંડ રહેશે. ચંદ્રગુપ્ત કન્યાને રથ ઉપર બેસાડી અને ઠેઠ નંદના મહેલ સુધી પહોંચ્યા. ત્રણેય જણા નંદની સંપત્તિ મેળવવા અંદર પ્રવેશ્યા ત્યાં એક વિષકન્યા રાખવામાં આવેલી. રાજા નંદ તેને જન્મથી માંડીને વિષમવિષ ખવડાવ્યું હતું. તેથી તેણીનું આખુંય શરીર વિષથી વ્યાપ્ત બની ગયું હતું. રાજા પર્વત તેના ઉપર મોહીત થઈ ગયો. ચાણક્ય તેનો અભિપ્રાય જાણીને, તાત્કાલિક તેણીની સાથે તેના લગ્ન મહોત્સવની તૈયારી કરાવી. અને લગ્નવેળાએ જ્યારે તેનું પાણિગ્રહણ થયું ત્યારે તે વિષકન્યાના હાથ દ્વારા ઝેર પર્વતના શરીરમાં સંક્રાંત થયું અને તે ભારે પીડા અનુભવવા લાગ્યો. તેણે ચંદ્રગુપ્તને કહ્યું -મિત્ર ! મને બચાવ. મારો કંઈક ઈલાજ કર. હું બેભાન થઈ રહ્યો છું. મારા અંગેઅંગમાં ઝેર પ્રસરી રહ્યું છે.' આ સાંભળીને દયાળુ અને ભદ્રિક ચંદ્રગુપ્ત જેટલામાં ગારૂડીકોને બોલાવવાનો પ્રયત્ન કરે છે તેટલામાં જ ચાણક્ય તેને ધીરે રહીને કહ્યું - આ પર્વત (રાજા) ને પાછળથી પણ મારવાનો જ હતો. તેના બદલે તે સ્વયં જ મરવા પડ્યો છે તો શા માટે તેની સારવાર કરવી ? માટે મૂક પડતું અને મૌન રહે, જો Jain Education International - 34 - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004694
Book TitleUnda Akashma
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy