SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ (GCC) GOO) ALL (O) આમ બળ-મુનિની સૂક્ષ્મ સાધનાએ જંગલમાં પણ મંગલ ખડુ કરી દીધું. સાધના અને દેશના દ્વારા ભાવુક બનેલા વન્ય પ્રાણીઓ હંમેશા તેમને સેવવા લાગ્યા. સ્વ-આચારોમાં સુસ્થિત મુનિઓ જંગલમાં રહીને પણ સ્વ-પરનું કલ્યાણ સાધતા કેવો ઉપકાર કરતા હોય છે ! આ દૃષ્ટાંત તેનું સાક્ષી બની રહેશે.. | ‘‘ચાર ખુણામાંથી બહાર નીકળીને, જમાના પ્રમાણે ચાલવાનું - લાઇટ અને માઇક વાપરવાનું - પરહિતાર્થે ફલાઇટ દ્વારા વિદેશ ગમન કરવાનું’ - અત્યાધુનિક મોડર્ન જગતનાં આવા એલાનો ઉપર્યુક્ત દષ્ટાંત પાસે સાવ વામન નથી લાગતા શું ? મુનિનું શાસ્ત્રાનુસાર યથાશક્તિ આચારમય જીવન જ એવું હોય છે કે જેના દ્વારા સ્વ-પર નો ઉપકાર થતો જ રહે. પરહિત કાજે બણગા ફૂંકવા એને ક્યાંય જવું પડે નહિં. અને પરહિતના નામે શાસ્ત્રનિરપેક્ષ દુનિયાની વાતોમાં જે પણ કહેવાતા મુનિઓ વગેરે ભળી ગયા...... પરહિત તો દૂર રહો પણ સ્વના | હિતથી પણ તે સરિઆમ ચૂકી ગયા. આમ, પ્રતિદિન પશુઓની પર્ષદાને "પ્રતિબોધતા બળરામ મુનિને એક વખત પાત્રા વગેરેનું પ્રતિલેખન કરતા જોઈને પૂર્વભવનો અનુરાગી મુનિનો પક્કો ભગત બનેલો એક મૃગલો ક્યાંય લાકડા કાપવા આવેલા કઠિયારાને જોઈ આવ્યો. અને ત્યારબાદ મુનિ પાસે આવીને તેમના | ચરણોનું મસ્તક વડે સ્પર્શ કરતો મુનિને ભિક્ષા માટે પધારવા વિનંતિ કરવા લાગ્યો. પ્રતિદિનના અભ્યાસથી હરણનાં આશયને સમજીને મુનિ પણ તેની પાછળ જવા લાગ્યા. જ્યાં રથકાર હતો ત્યાં આવીને હરણ થંભી ગયો. રથકાર પણ પોતાના અહોભાગ્યને માનતો મુનિને ભિક્ષા લેવા માટે પ્રાર્થના કરી. મુનિએ પણ નિર્દોષ આહાર જાણીને પાત્ર લંબાવ્યું. | ‘તથિ તેવો ભવ:” આ સાંસ્કૃતિક વાક્યને ચરિતાર્થ કરતો કઠિયારો પણ અત્યંત અનુરાગવાળા ઉલ્લસિત હૃદયથી ભિક્ષા વહોરાવવાની શરૂઆત કરે છે. હરણ પણ પશુનું ખોળિયું મળવાથી સ્વયં સુપાત્ર-દાનના લાભથી વંચિત રહેતો સ્વ-નિંદા સાથે, આ બન્ને પુણ્યશાળીઓની ભાવિત હૃદયે અનુમોદના કરવા લાગ્યો. એટલામાં જ, જે વૃક્ષ નીચે મુનિ ગોચરી લેતા હતા તે જ વૃક્ષની અર્ધી કપાયેલી એક મોટી ડાળી જોરદાર વંટોળિયાથી ભાંગીને ત્રણેય ઉપર પડી. પડતાની સાથે જ ત્રણેયનું આયુષ્ય પુરૂ થઈ ગયું. અને કાળ કરીને ત્રણેય પાંચમા ‘બ્રહ્મલોક’ નામના દેવલોકમાં ‘પદ્મોત્તર’ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. આમ, બળરામ મુનિ ૧૦૦ વર્ષનું સુંદરતમ ચારિત્ર પાળીને સ્વર્ગે સિધાવ્યા. - કૃષ્ણનું કુલ આયુષ્ય ૧૦૦૦ વર્ષનું હતું બળરામનું કુલ આયુષ્ય ૧૨૦૦ વર્ષનું હતું. દેવ તરીકે તેમનું હાલ કુલ આયુષ્ય ૧૦ સાગરોપમનું (અસંખ્ય વર્ષનું) છે. કૃષ્ણ જ્યારે અમમ નામના આવતી ચોવીશીમાં જૈન તીર્થંકર (ભગવાન) થશે ત્યારે બળરામ દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય બનીને તેઓના શાસનમાં સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. www.jainéfibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004694
Book TitleUnda Akashma
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy