________________
શ્રી તત્ત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૬પ વિશેષાર્થ-જંબુદ્વીપની અંદર બે ચંદ્ર અને બે સૂર્ય છે, લવણસમુદ્રની અંદર તેનાથી બમણું ચાર ચંદ્ર અને ચાર સૂય છે, ધાતકીખંડની અંદર બાર ચંદ્ર અને બાર સૂર્ય છે, દ૬.
ततस्त्रिगुणाः पूर्वयुताः ॥ ६ ॥
શબ્દાર્થ-તે વાર પછી ત્રણ ગુણ કરીને પૂર્વની સંખ્યા ભેળવવી,
વિશેષાર્થ ધાતકીખંડ પછીના દ્વીપ અને સમુદ્રની અંદર સંખ્યા લાવવા માટે બતાવે છે કે ઉપરના દ્વીપ કે સમુદ્રના અંદરની જે સંખ્યા કહી હોય તેને ત્રણ ગણા કરીને પૂર્વની સંખ્યા મેળવવી એટલે જેમકે ધાતકી ખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે તેને ત્રણ ગણા કરતા છત્રીસ ચંદ્ર અને છત્રીસ સૂર્ય થાય, તેમાં પૂર્વના જંબુદ્વીપ અને લવણસમુદ્રની સંખ્યા જે ૨ અને ૪ ની છે તે એકંદર ૬ ભેળવીએ ત્યારે ૪૨ ચંદ્ર અને ર સૂર્ય કાલેદધિસમુદ્રને વિષે હેય છે. એવી રીતે આગળના દ્વીપ અને સમુદ્રને વિષે પણ એજ રીતે ત્રણ ગણા કરી પૂર્વની સંખ્યા મેળવતા ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય પુષ્કરવરદ્વીપને વિષે આવે, પણ અહિંઆ અડધું મનુષ્ય ક્ષેત્ર છે માટે ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય મનુષ્યક્ષેત્રમાં ગણવા અને ૭૨ મનુષ્યલકની બહાર સ્થિર જાણવા એવી રીતે પુષ્કરવર દ્વીપને વિષે ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય છે તેને ત્રણ ગણા કરતા ૪૩ર થાય, પછી તેની અંદર પૂર્વની સંખ્યા ૨જંબુદ્વીપના, ૪ લવણસમુદ્રના ૧૨ ધાતકીખંડના, ૪૨ કાલેદધિના એવી રીતે એકંદર ૬૦ મેળવતા ૪૯૨ ચંદ્ર અને ૪૯૨ સૂર્ય પુષ્કરવરસમુદ્રની અંદર છે. એવી રીતે દરેક દ્વીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org