________________
૩૬ શ્રી તત્ત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ફક્ત તુવેરના દાણા જેટલો લે છે, તેઓની આયુષ્યની સ્થિતિ ૪૯ દિવસ બાકી રહે ત્યારે એક યુગલીક ઉત્પન્ન થાય અને તેને ૪૯ દિવસ સુધી પાળી પછી ફક્ત બગાસુ આવતાં મરીને દેવલોકની ગતિ શિવાય બીજી ગતિમાં જતા જ નથી. પહેલા આરાના યુગલીઆઓના પીઠ કરડકા ૨૫૬ હાય. પછી બીજા અને ત્રીજામાં અડધા અડધા ઓછા હોય છે.
બીજા આરાના યુગલીઆઓની સ્થિતિ બે પલ્યોપમની છે અને તેના શરીરની ઉંચાઈ બે ગાઊની છે, તેઓ આહાર બે દિવસે બેરના જેટલો લે છે, વધારે લેવાની ઇચ્છા થતી નથી, પિતાને ઘેર જ્યારે યુગલીઉ ઉત્પન્ન થાય ત્યારપછી પહેલા આ રાના યુગલી કરતા પંદર દિવસ વધારે એટલે ચોસઠ દિવસ સુધી રક્ષણ કરીને મરણ પામી દેવલેકમાં જાય છે. તેઓના પીઠકરંડકા પહેલા આરાના મનુષ્ય કરતાં અડધા એટલે પહેલા આરાના ૨૫૬ કડકા છે (પાસલી) ત્યારે આ બીજા આરાના યુગલીઆના ૧૨૮ હેય છે. - ત્રીજા આરાના યુગલીઆઓની સ્થિતિ ૧ પલ્યોપમની હોય છે, શરીરની ઉંચાઈ એક ગાઉની હોય છે, અને આહાર એક એક દિવસને અંતરે આમળાના જેટલે લે છે, તેઓ પિતાના બચ્ચાને - ૭૯ દિવસ સુધી રક્ષણ કરીને મારી દેવલેકમાં જાય છે. તેઓના પીઠ કરંડકા (પાંસલી) બીજા આરાના યુગલીઆ કરતા અડધી એટલે ૬૪ હોય છે. આ ત્રણે આરાના યુગલીઆઓ પિતાની અંતદશા જાણી શકે; કેમકે જ્યારે પિતાને ત્યાં યુગલીઉ ઉત્પન્ન થાય તે પછી અનુક્રમ ૪૯૬૪-૭૯ દિવસ સુધી પાલન કર્યાબાદ મૃત્યુ થવાનું આથી કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org