________________
શ્રી તત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાનાર. ૧૨૭ આ પ્રમાણે બીજી ત્રણ દિશાનો અદર પણ સમજી લેવા. विष्कम्नवर्गदशगुणमूलं परिधिः ॥ ११०॥
શબ્દાર્થ–-વિષ્કભનો વર્ગ એટલે તેટલાએ ગુણી જે આવે તેને દશે ગુણવાથી ભૂલ થાય પછી મુલ શોધવાથી પરિધિ થાય છે.
વિશેષાર્થ—–જે ગોળ થાળીના આકારે પદાર્થ હેય તેના મને વિસ્તાર જે દશ જન હોય તે તે પદાર્થ ગોળાકારે ફરતે કેટલા જન થાય? એવી રીતનું જે ગણિત કરવું. તેને પરિધિ કહે છે. તેની રીત બતાવે છે.
જેટલી સંખ્યા વિસ્તારની હોય તેટલી સંખ્યાએ ગુણીને જે આવે તે વર્ગ કહેવાય તેને દશે ગુરૂવાથી મુલ થાય. પછી તે મુલની રકમને શોધવાથી પરિધિ થાય છે. વર્ગને દશે ગુણવાથી જે મુલની સંખ્યા આવેલ હોય તેને છેલ્લી રકમથી સમવિષમ અનુક્રમે ગણુતા થકા જે પહેલો આંકડે વિષમ આવે તે બે આંકડા લઈને ભાગ ચલાવો અને સમ આવે તે એક આંકડો લઈ ભાગ ચલાવો પછી બાકીના આંકડામાંથી બે બે આંકડાની સંખ્યા ઉપર ચડાવીને ભાગ ચલાવતા જ પણ એટલું ધ્યાન રાખવાનું કે ભાજકની સંખ્યાને ભાગાકાની સંખ્યાએ ગણવાથી અને શેષ સંખ્યા ઉમેરવાથી જે સંખ્યા આવે તે ભાજ્યની સંખ્યા કરતાં વધારે થવી જોઇએ નહિં.
જેમ કે દ્રષ્ટાંત તરીકે ૧૦ ની સંખ્યા લઈએ તેને તેટલાએ ગણવાથી ૧૦૦ આવે તે વર્ગ કહેવાય અને તેને હશે ગુણવાથી ૧૦૦૦ આવે તે મુલ કહેવાય. હવે તેને છેલા આંકડાથી ૧સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org