SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ છે અને જૈનશાસનની નયષ્ટિઓ પૂ. ઉપાધ્યાયજી મહારાજના શ્રમથી લોકમાં પ્રગટ થઈ છે, અને ગ્રંથકારશ્રીના નવા નવા ગ્રંથો રચવાના શ્રમથી સમર્થન પામેલી છે. તે નયદષ્ટિઓના કારણે ઉપાધ્યાયજી મહારાજના ગુરુ શ્રી નયવિજયજીનો યશ જગતમાં વિસ્તાર પામે છે; કેમ કે તત્ત્વના અર્થી એવા સંતપુરુષો પૂ. ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથો વાંચીને કે તેમની પાસેથી તત્ત્વ સાંભળીને અનુગ્રહથી કહે છે કે “આ ગુરુએ આ પ્રકારનો શ્રમ કરીને શિષ્યને ભણાવ્યો, જેથી ભગવાનના શાસનને આ નવા ગ્રંથોની પ્રાપ્તિ થઈ” અર્થાત્ પૂર્વના મહાપુરુષોના ગંભીર ગ્રંથોનું તાત્પર્ય ગ્રહણ કરવા આપણે સમર્થ નહોતા, ત્યારે આપણને તાત્પર્યની પ્રાપ્તિ થાય તે રીતે તે ગ્રંથોને પૂ. ઉપાધ્યાયજી મહારાજે સ્પષ્ટ કર્યા, જેથી તે સર્વ ગ્રંથોની પ્રાપ્તિ થઈ; અને આ સર્વ પ્રાપ્તિ તેમના ગુરુના શ્રમના પ્રભાવે છે. જો તેમના ગુરુએ તેમને ભણાવવા માટે તેવો શ્રમ ન કર્યો હોત તો આ નયદષ્ટિઓ આપણી પાસે પ્રગટ થાત નહિ. ગ્રંથકારશ્રી કહે છે : જગતમાં જે આ પ્રકારનો ગુરુનો યશ વિસ્તાર પામે છે, એ જ મારા ચિત્તનો આનંદ માટે છે. llરકા અવતરણિકા: ગુરુના ઉપકારને જ વિશેષરૂપે યાદ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક - आसते जगति सज्जनाः शतं तैरुपैमि नु समं कमञ्जसा । किं न सन्ति गिरयः परः शता मेरुरेव तु बिभर्तु मेदिनीम् ।।२७।। અન્વયાર્થ : નપત્તિ જગતમાં સન્નના =સજ્જનો શક્તિ માસને સેંકડો છે. તે સમંત્ર તેમની સાથે પૂ. નયવિજયજીની સાથે સંકયા સજ્જનને ગન્નસા નુ મિ ? શીધ્ર હું ઉપમા આપું અર્થાત્ પૂ. વયવિજયજી સાથે કોઈ સજ્જનને ઉપમા આપી શકાય નહિ. વિંન સન્તિ શિર પર: શતા=શું સેંકડો પર્વતો નથી હોતા ? તુ=પરંતુ મેરેવ=મેરુ જ વિન વિભર્તુ પૃથ્વીને ધારણ કરે છે. Li૨૭ાા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004692
Book TitleSajjanastuti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy