SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૬-૧૭ ભાવિત બને છે. તેથી તે નવી રચનાથી પોતાના ઉપર ઉપકાર થાય છે. વળી, પૂર્વના મહાપુરુષોનાં વચનોને યુક્તિથી અને અનુભવથી જોડીને કરાયેલી નવી રચનાથી અન્ય યોગ્ય જીવોને પણ પૂર્વના મહાપુરુષોના વચનનું તાત્પર્ય પ્રાપ્ત થાય છે. તેથી અન્ય યોગ્ય જીવોને પણ નવી રચનાથી ઉપકાર થાય છે. તથા, પૂર્વસૂરિઓનાં વચનોને ગ્રહણ કરીને યુક્તિ અને અનુભવ અનુસાર તે ગ્રંથની રચના કરવાના કાળમાં નવી નવી મતિનો ઉન્મેષ થાય છે. તેથી નવી મતિની પ્રાપ્તિ થવારૂપ પોતાનો ઉપકાર થાય છે, એ પ્રકારે સજ્જનની દૃષ્ટિનું કથન દુર્જનના વચનને અટકાવવા માટે અર્ગલા જેવું છે. આવા અવતરણિકા : શ્લોક-૧૨થી ૧૬ સુધી જે કાંઈ ગ્રંથકારશ્રીએ કહ્યું, તે સર્વ પૂ. હરિભદ્રસૂરિજીની પ્રથમ વિંશિકાના આધારે કહેલ છે. તે બતાવીને તેનાથી સજ્જનોને શું લાભ થાય છે ? તે બતાવતાં કહે છે – શ્લોક :सप्रसङ्गमिदमाद्यविंशिकोपक्रमे मतिमतोपपादितम्। चारुतां व्रजति सज्जनस्थिति क्षतासु नियतं खलोक्तिषु ।।१७।। અન્વયાર્થ : લંકઆ શ્લોક-૧૨થી ૧૬ સુધી ગ્રંથકારે કહ્યું એ સાર —પ્રસંગ સહિત ગાવિંશિવલોપમે=આવિંશિકાના ઉપક્રમમાં મતિમતા=મતિમાન એવા પૂ. હરિભદ્રસૂરિજીએ ૩૫વિતzઉપપાદન કરેલ છે. અહીં પ્રશ્ન થાય કે પૂ. હરિભદ્રસૂરિએ વિંશતિર્વિશિકામાં આ સર્વ પ્રસંગ કેમ ઉપપાદન કરેલ છે ? તેથી શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે – નક્ષતાસુ અક્ષત એવી નિયતંત્રનિયત રત્નોવિતપુEખલની ઉક્તિ હોતે છતે સળસ્થિતિ=સજ્જનની સ્થિતિ=સજ્જનની નવી ગ્રંથરચનાની પ્રવૃત્તિ વાતાં ચારુતાને પ્રતિષ્ઠાને, રતિઃપામતી નથી. તેથી પૂ. હરિભદ્રસૂરિએ વિંશિકામાં ખલની ઉક્તિઓનું નિરાકરણ કરેલ છે.) ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004692
Book TitleSajjanastuti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy