SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સજનસ્તુતિહાવિંશિકા/શ્લોક-૪ શ્લોક :या द्विजिह्वदलना घनाऽऽदराद्यात्मनीह पुरुषोत्तमस्थितिः । याप्यनन्तगतिरेतयेष्यते, सज्जनस्य गरुडाऽनुकारिता ।।४।। અન્વયાર્થ : ફુદ અહીં સંસારમાં થા શિબિવલનના=જે દ્વિજિલ્થની દલતા છે સાપની દલના છે ઘનાડડરીઘન આદરથી=અત્યંત આદરથી સાત્મિનિ=આત્મામાં યા પુરુષોત્તમસ્થિતિ =જે પુરુષોત્તમની સ્થિતિ છે યા =જે પણ અનાતિઃ= અનંતગતિ છે તય=એનાથી સજ્જનસ્થાડનુવારિતા સજ્જનની ગરુડ અનુકારિતા=ગરુડ તુલ્યતા ધ્યતે ઇચ્છાય છે. I૪ શ્લોકાર્ચ - અહીં=સંસારમાં, જે દ્વિજિત્વની દલના છે=સાપની દલના છે, ઘન આદરથી આત્મામાં જે પુરુષોત્તમની સ્થિતિ છે, જે પણ અનંતગતિ છે, એનાથી સજ્જનની ગરુડ અનુકારિતા ગરુડ તુલ્યતા ઈચ્છાય છે. llll ભાવાર્થ - (૧) ગરુડ પક્ષી સાપનો વિનાશ કરે છે. (૨) ગરુડ પક્ષી પુરષોત્તમ એવા વિષ્ણુનું વાહન છે. (૩) ગરુડ પક્ષી આકાશમાં અત્યંત દૂર દૂર જાય છે, તેથી અનંતગતિવાળું છે. ગરુડના આ ત્રણ ભાવોને સામે રાખીને સજ્જન પુરુષો ગરુડ તુલ્ય છે, તેમ પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. જેમ ગરુડ પક્ષી બે જીભવાળા એવા સાપનો વિનાશ કરે છે, તેમ સજ્જન પુરુષો બે વિરોધી વચનો બોલવાને અનુકૂળ એવા ભાવનો પોતાનામાં વિનાશ કરે છે અર્થાત્ પોતે પૂર્વમાં કંઈક કીધેલું હોય તે વચનથી પોતાને કાંઈક અનર્થ દેખાય તોપણ પોતાના તે વચનથી ફરી જતા નથી અથવા પૂર્વનાં વચનો અને પછીનાં વચનો પરસ્પર વિરોધી થાય તેવું બોલતા નથી, પરંતુ વિચારીને ઉચિત વચનો બોલનારા હોય છે. તેથી પોતાનામાં બે વચન બોલવારૂપ દ્વિજિલ્વત્વનું દલન કરનારા છે. વળી, જેમ ગરુડ પક્ષી પુરુષોત્તમ એવા વિષ્ણુનું વાહન છે, તેથી પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004692
Book TitleSajjanastuti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy