SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાઢાબિંશિકા/બ્લોક-ર૫ ૬૩ સાધકને આત્માના શુદ્ધ સ્વરૂપથી અતિરિક્ત પોતાના શરીરથી માંડીને યાવતું બાહ્ય પદાર્થોમાં મમત્વ રહે નહિ, અને તેથી શરીરને ઉપઘાતક કે ઇન્દ્રિયને ઉપઘાતક બાહ્ય પદાર્થોમાં અરતિ થાય નહિ, અને શરીરને ઉપગ્રહકારક કે ઇન્દ્રિયને ઉપગ્રહકારક પદાર્થના સાંનિધ્યમાં આનંદ થાય નહિ; પરંતુ સચ્ચિદાનંદમય એવું જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, તેને પ્રગટ કરવા માટે સર્વ યત્નથી ઉદ્યમ થાય; અને દીક્ષા સચ્ચિદાનંદમય શુદ્ધ આત્માને પ્રગટ કરવાના ઉપાયમાં દૃઢ યત્નરૂપ હોવાથી શુદ્ધઉપયોગરૂપ છે; કેમ કે દીક્ષા પાલનકાળમાં જીવ વીતરાગ નહિ હોવા છતાં અશુદ્ધતાઆપાદક એવા કષાયલેશનો પણ સ્પર્શ નથી અર્થાત્ જે કંઈ કષાયનો ઉદય છે, તે કષાયનો ઉદય આત્માના શુદ્ધસ્વભાવને પ્રગટ કરવા માટે પ્રવૃત્ત છે, પરંતુ આત્માની અશુદ્ધતાની વૃદ્ધિ કરવામાં પ્રવૃત્ત નથી. આહારવિહારાદિક્રિયાકાળમાં શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો વાસનાસ્વરૂપે અવ્યુચ્છેદ : અહીં પ્રશ્ન થાય કે જ્યારે સાધકયોગી શુદ્ધ આત્માના સ્વરૂપને અવલંબીને તે ભાવમાં તન્મય થવા ધ્યાનમાં ઉદ્યમ કરતા હોય ત્યારે શુદ્ધઉપયોગ પ્રવર્તે છે, પરંતુ સાધુ જ્યારે આહાર-વિહારાદિ પ્રવૃત્તિ કરે છે, ત્યારે સાધુનો ઉપયોગ આહાર-વિહારાદિ પ્રવૃત્તિમાં હોય છે. તેથી તે વખતે શુદ્ધઉપયોગરૂપ દીક્ષા સાધુમાં ઘટે નહિ. તેથી ગ્રંથકારશ્રી કહે છે – સુસાધુઓ આહાર-વિહારાદિ પ્રવૃત્તિઓ કરતા હોય છે, ત્યારે પણ વાસનારૂપે શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો લુચ્છેદ નથી અર્થાત્ સાક્ષાત્ ઉપયોગ આહારાદિની ક્રિયામાં છે, તોપણ આ ક્રિયા દ્વારા પોતાને શુદ્ધ આત્માનો આવિર્ભાવ કરવો છે, એ પ્રકારની વાસનાથી સંવલિત એવો આહારાદિ ક્રિયામાં ઉપયોગ વર્તે છે. તેથી આહારાદિક્રિયાકાળમાં પણ શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો અભાવ નથી. અહીં પ્રશ્ન થાય કે સાધુ પોતાના શુદ્ધસ્વરૂપમાં ઉપયોગવાળા હોય ત્યારે સાધુના તે ઉપયોગથી શુદ્ધસ્વરૂપના આવારક કર્મનું વિગમન થાય છે. તેથી પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરમાં આત્માનું શુદ્ધસ્વરૂપ અતિશય-અતિશયતર પ્રગટ થાય છે; પરંતુ સાધુ આહાર-વિહારાદિ ક્રિયામાં ઉપયોગવાળા છે, ત્યારે વાસનારૂપે શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો અવિચ્છેદ હોવા છતાં પણ ઉપયોગરૂપે શુદ્ધઉપયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy