SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૨ -૨-૩ પ્રજ્ઞાવાળા પુરુષો શ્રુતરૂપી ચક્ષુથી યથાર્થ જાણી શકે છે; અને જે મહાત્મા શ્રુતરૂપી ચક્ષુથી માર્ગને યથાર્થ જાણીને તે માર્ગ અનુસા૨ યથાર્થ પ્રવૃત્તિ કરે છે, તે જ્ઞાની મહાત્મા અવશ્ય ઇષ્ટ એવા મોક્ષનગરને પ્રાપ્ત કરે છે. ५ અને જેઓની પાસે શ્રુતરૂપી ચક્ષુ નથી, તેથી ભગવાનના વચનના બળથી સાક્ષાત્ યોગમાર્ગને જોઈ શકતા નથી; આમ છતાં માર્ગાનુસારી નિર્મળ મતિ છે, તેથી શ્રુતરૂપી ચક્ષુવાળા પુરુષને જાણીને તેઓને પરતંત્ર થાય છે, અને તેમના વચનાનુસાર સર્વ કાયિક, વાચિક અને માનસિક ક્રિયાઓ કરે છે; એટલું જ નહિ, પણ જે પ્રકારે કાયિક આદિ ક્રિયા કરીને શ્રુતરૂપી ચક્ષુવાળા પુરુષ નિર્લેપભાવને ઉલ્લસિત કરે છે, તે પ્રકારના નિર્લેપભાવની પ્રાપ્તિનું કારણ બને તેવો યથાર્થ બોધ, શ્રુતરૂપી ચક્ષુહીન પુરુષ, શ્રુતથી ચક્ષુવાળા ગીતાર્થ પુરુષ પાસેથી પ્રાપ્ત કરીને તે રીતે ઉદ્યમ કરે છે; તેથી જેમ તે ગીતાર્થ પુરુષ સ્વ૫રાક્રમ ફોરવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે, તેમ ચક્ષુહીન એવા પણ અગીતાર્થ પુરુષો ચક્ષુવાળા એવા ગીતાર્થના વચનના બળથી સ્વપરાક્રમ ફોરવીને ઇષ્ટનગરરૂપ મોક્ષની પ્રાપ્તિ કરે છે, તેથી જેમ ચક્ષુવાળા પુરુષને અનુસરનાર ચક્ષુહીન, ચક્ષુવાળાની સાથે ઇષ્ટનગરને પ્રાપ્ત કરે છે, તેમ ગીતાર્થને પરતંત્ર અગીતાર્થ પુરુષ, ગીતાર્થની જેમ સંયમના કંડકોને ઉલ્લસિત કરી શકે છે, અને ગીતાર્થની સાથે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. IIII અવતરણિકા : શ્લોક-૨માં ‘દીક્ષા' શબ્દનો નિરુક્ત અર્થ બતાવીને દીક્ષાનું સ્વરૂપ બતાવ્યું, અને આવી દીક્ષા જ્ઞાનીને અને જ્ઞાનીની નિશ્રાવાળાને હોય છે, તેમ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે જ્ઞાનીને દીક્ષા સંભવે પણ જ્ઞાતીની નિશ્રાવાળાને આવી દીક્ષા કઈ રીતે સંભવે ? તેથી દૃષ્ટાંતથી જ્ઞાતીની નિશ્રાવાળાને પણ આવી દીક્ષા થઈ શકે, તેની સ્પષ્ટતા શ્લોક-૨માં કરી. હવે આવી દીક્ષા પ્રાપ્ત કરવાની યોગ્યતા કોનામાં છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક ઃ यस्य क्रियासु सामर्थ्यं स्यात् सम्यग्गुरुरागतः । योग्यता तस्य दीक्षायामपि माषतुषाकृतेः । । ३ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy