SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧-૩૨ શુદ્ધઉપયોગને પ્રાપ્ત કરે છે, તેમ દિગંબરો સ્વીકારે છે; તેની જેમ ધ્યાનાદિમાં યત્ન કરનારા સાધુ શીતાદિ પરિષહથી ધર્મધ્યાનમાં વ્યાઘાત પામતા હોય ત્યારે, ધર્મ ઉપકરણના બળથી શીતાદિનો પરિહાર કરીને ધર્મધ્યાનાદિમાં ઉદ્યમ કરી શકે છે. તેથી એ ફલિત થાય કે જેમ શુભઉપયોગરૂપ દીક્ષા શુદ્ધ દીક્ષાનું કારણ છે, માટે શુભઉપયોગવાળી દીક્ષાને પણ દીક્ષા કહી શકાય; તેમ શુદ્ધઉપયોગરૂપ દીક્ષાની પ્રાપ્તિમાં વસ્ત્રાદિ ધર્મઉપકરણ કારણ છે, માટે વસ્ત્રાદિ ધારણ કરનારને પણ દીક્ષા છે, તેમ સ્વીકારી શકાય. ୧୪ આહારાદિગ્રહણમાં બુદ્ધિપૂર્વક મમત્વના પરિહારની જેમ ધર્મોપકરણમાં બુદ્ધિપૂર્વક મમત્વના પરિહારની ઉપપત્તિ : અહીં દિગંબરો કહે કે વસ્ત્રને ગ્રહણ કરવામાં મમત્વ થવાનો સંભવ છે; અને મમત્વનો પરિણામ સમભાવનો વિરોધી છે, તેથી વસ્ત્રાદિગ્રહણમાં દીક્ષાનો સ્વીકાર કરી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જેમ દિગંબર સાધુ આહારને ગ્રહણ કરે છે અને શરીરને ધારણ કરે છે, છતાં આહારમાં અને શરીરમાં બુદ્ધિપૂર્વક મમત્વનો પરિહાર કરે છે; તેમ ધર્મધ્યાનમાં સહાયક એવાં ધર્મ ઉપકરણ ગ્રહણ કરવામાં વિવેકી સાધુ બુદ્ધિપૂર્વક મમત્વનો પરિહાર કરી શકે છે માટે ધર્મઉપકરણ દીક્ષામાં વિરોધી નથી, તેમ દિગંબરોએ સ્વીકારવું જોઈએ. આ વિષયમાં ગ્રંથકારશ્રીએ અધ્યાત્મમતપરીક્ષામાં ઘણો વિસ્તાર કર્યો છે. I[૩૧]l અવતરણિકા : શ્લોક-૨૪ સુધી ગ્રંથકારશ્રીએ દીક્ષાનું સ્વરૂપ બતાવ્યું અને શ્લોક૨૫માં કહ્યું કે આ દીક્ષા શુદ્ધઉપયોગરૂપ છે અર્થાત્ શુદ્ધ આત્માના સ્વરૂપમાં વર્તતા જીવના ઉપયોગસ્વરૂપ છે. ત્યાં શુદ્ધઉપયોગરૂપ દીક્ષા જુદી છે અને શુભઉપયોગરૂપ દીક્ષા જુદી છે, એ પ્રકારના દિગંબરના વચનનું સ્મરણ થયું, અને દિગંબરો શુદ્ધઉપયોગરૂપ દીક્ષાને મોક્ષનું કારણ કહે છે અને શુભઉપયોગરૂપ દીક્ષાને શુદ્ધઉપયોગરૂપ દીક્ષાતુલ્ય મોક્ષનું કારણ સ્વીકારતા નથી, તેનું ઉદ્ભાવન કરીને શ્લોક-૨૬થી અત્યાર સુધી સ્થાપન કર્યું કે શુભઉપયોગરૂપ દીક્ષા કે શુદ્ધઉપયોગરૂપ દીક્ષા પરમાર્થથી શુદ્ધ આત્માના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy