SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ભાવાર્થ : દીક્ષાદ્વાત્રિંશિકા|શ્લોક-૩૧ શુદ્ધઉપયોગ અને શુભઉપયોગરૂપ દીક્ષાનું તુલ્યકક્ષપણું નથી, એ પ્રમાણે કહેનાર દિગંબરની ભ્રાંતિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : પ્રવચનમાં પાંચ પ્રકારના નિગ્રંથ કહેવાયા છે. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુ રાગ-દ્વેષની ગ્રંથિનો ઉચ્છેદ કરનારા હોવાથી નિગ્રંથ છે અર્થાત્ રાગ-દ્વેષની ગ્રંથિને ભેદી રહ્યા છે. માટે જે ભેદાતું હોય તે ભેદાયેલું છે, તેથી રાગ-દ્વેષની ગ્રંથિ વગરના છે; આમ છતાં રાગ-દ્વેષના ત્યાગરૂપ સમતાનો પરિણામ તરતમતાથી અનેક પરિણામવાળો છે, જેને આશ્રયીને શાસ્ત્રમાં બકુશાદિ પાંચ નિગ્રંથો કહ્યા છે; આ શાસ્ત્રવચનનું આલોચન કર્યા વગર દિગંબરો દીક્ષાને પરમ ઉપેક્ષારૂપ માત્ર સ્વીકારે છે, તે તેમની ભ્રાંતિ છે. દિગંબરોનો આશય એ છે કે વીતરાગ સંસારના સર્વ ભાવો પ્રત્યે પરમ ઉપેક્ષાવાળા હોય છે, તેથી જેઓને વીતરાગ થવું હોય તેણે જગતના તમામ ભાવો પ્રત્યે ૫૨મ ઉપેક્ષાવાળા થઈને આત્મમાત્રમાં પ્રતિબંધ ધારણ કરવારૂપ શુદ્ધઉપયોગમાં વર્તવું જોઈએ. તેથી જેઓ તે પ્રકારના શુદ્ધઉપયોગમાં વર્તે છે, તેઓ સર્વ યત્નથી મોક્ષને અનુકૂળ ઉદ્યમ કરનારા છે; અને દીક્ષા એ સર્વ યત્નથી મોક્ષને અનુકૂળ ઉદ્યમ કરવા સ્વરૂપ છે, માટે શુદ્ધઉપયોગરૂપ દીક્ષા મોક્ષનું કારણ છે, શુભઉપયોગરૂપ દીક્ષા નહિ. આમ કહીને દિગંબરો શુદ્ધઉપયોગને અને શુભઉપયોગને મોક્ષ પ્રત્યે તુલ્ય કક્ષાવાળા સ્વીકારતા નથી. વસ્તુતઃ ભગવાનના પ્રવચનમાં મોક્ષનું કારણ સર્વ ભાવો પ્રત્યે સમભાવનો પરિણામ માન્ય છે, અને સમભાવનો પરિણામ જેઓમાં હોય તેઓ નિગ્રંથ છે; પરંતુ સમભાવના પરિણામને ધારણ કરનાર નિગ્રંથો પણ તરતમતાના પરિણામથી પાંચ ભેદવાળા શ્રુતમાં પ્રસિદ્ધ છે. તેથી જેઓ આદ્ય ભૂમિકાવાળા બકુશ, કુશીલ છે, તેઓ પિશાચિકી વાર્તાને સાંભળીને કે કુળવધૂના દૃષ્ટાંતને સાંભળીને અપ્રમાદભાવથી ભગવાનના વચનાનુસાર ક્રિયાઓમાં યત્ન કરે છે, તેઓ પરમ ઉપેક્ષારૂપ સંયમને પામ્યા નથી અર્થાત્ અસંગઅનુષ્ઠાનને પામ્યા નથી, તોપણ સમભાવના પરિણામને ધારણ કરીને વીતરાગતા તરફ જનાર છે. તેથી પરમ ઉપેક્ષામાં જેઓ વર્તે છે, તેઓમાં મોક્ષને અનુકૂળ દીક્ષા છે, આદ્ય ભૂમિકાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy