SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાાત્રિશિકા/પ્રસ્તાવના જે મહાત્માઓ વચનાનુષ્ઠાન સેવીને અસંગાનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે, તેમનામાં નિરતિચાર એવા ધર્મક્ષમાદિ ભાવો પ્રગટે છે. આવા મહાત્માઓ સર્વ ઉદ્યમથી શુદ્ધ આત્માના ભાવોને ઉત્તરોત્તર વૃદ્ધિ કરવા યત્ન કરે છે અને આવા સાધક મહાત્માઓને બાર મહિનાના સંયમપર્યાય પછી શુક્લધર્મ પ્રગટ થાય છે. • ભગવાનના વચનાનુસાર સુદઢ પ્રયત્નપૂર્વક પ્રવર્તતી ક્ષણોનો દીક્ષાના પર્યાયરૂપે સ્વીકાર. • મોહના ઉમૂલન માટે જેમનો યત્ન ન હોય તેમની દીક્ષા અનર્થકારી. • દીક્ષામાં બાહ્યથી કેશમુંડન અને અંતરંગથી ઇંદ્રિયોનું અને કષાયોનું અપ્રવર્તન. - દીક્ષાનું ગ્રહણ વીર પુરુષોનો દુષ્કર પંથ. • મોહની આકુળતાથી રહિત શુદ્ધઉપયોગના આવિર્ભાવને અનુકૂળ દીક્ષા. • દિગંબરોને અભિમત શુદ્ધઉપયોગરૂપ દીક્ષા મોક્ષનું કારણ, અને શુભઉપયોગરૂપ દીક્ષા સાક્ષાત્ મોક્ષનું કારણ નથી, તે મતનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ, વસ્તુતઃ સમભાવનો પરિણામ મોક્ષ પ્રત્યે કારણ. • દીક્ષા સામાયિકસ્વરૂપે એક અને ક્રિયાસ્વરૂપે ચિત્ર. • જ્ઞાન-ક્રિયાના તુલ્ય બળથી શિષ્ટ પુરુષો વડે સદીક્ષા પરમાનંદરૂપ મોક્ષને કરનાર છે, એ કથન. આ રીતે દીક્ષાબત્રીશીમાં આવતા વિષયોની સમજૂતી સંક્ષેપમાં અહીં જણાવેલ છે. તે અંગે વિશેષ સમજૂતી “દીક્ષાઢાત્રિશિકામાં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના” જોવાથી પ્રાપ્ત થશે; અને વિશેષ તો ટીકાની પંક્તિઓ ઉપરથી દિક્ષાબત્રીશીના પદાર્થોનું તૈયાર કરેલ શબ્દશઃ વિવેચન જોવાથી અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે. મારી નાદુરસ્ત તબિયતના કારણે જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે પૂજ્યોની આજ્ઞાથી સ્થિરવાસ કરવાનું થયું છે. તે દરમ્યાન જીવનનું કાંઈક સદ્ભાગ્ય સમજું છું કે સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે યોગગ્રંથો અને અધ્યાત્મગ્રંથોના વાચનનું આલંબન સાંપડ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy