SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તું ભેદન કરના છે અને ભાવિકૃત ભિક્ષાત્રિશિકા/બ્લોક-૩૦ છે અર્થાત્ ભક્તો જે દાનાદિ આપે તેને ગ્રહણ કરીને ધનસંચય કરનારા છે; વળી સચિત્ત ભોજન કરનારા છે, વિવેક નહિ હોવાથી વિશુદ્ધ તપનો અભાવ છે, આમ છતાં અજ્ઞાનને કારણે બાહ્ય કષ્ટો કરવા દ્વારા ધ્વસ્ત શક્તિવાળા છે અર્થાતુ અજ્ઞાનમૂલક બાહ્ય તપ કરનારા છે; વળી મન, વચન અને કાયાના યોગોથી પાપમાં નિરત છે, આવા સંન્યાસીઓ ત્યક્તગૃહવાળા હોવા છતાં પણ દ્રવ્યભિક્ષુ છે. ૨૮પા૨લા શ્લોક - वर्धकिर्द्रव्यतो भिक्षुरुच्यते दारुभेदनात् । द्रव्यभिक्षणशीलत्वाद् ब्राह्मणादिश्च विश्रुतः ।।३०।। અન્વયાર્થ: ઢામેના-કાષ્ઠનું ભેદન કરનાર હોવાથી વર્ધવિકસુથાર દ્રવ્યોદ્રવ્યથી મિક્ષ =ભિક્ષ વ્યક્ત કહેવાય છે ચ=અને દ્રવ્યમક્ષનશીના= દ્રવ્યભિક્ષા ગ્રહણ કરવાનો સ્વભાવ હોવાથી બ્રાહ્મણબ્રિાહમણાદિ વિકૃત:વિશ્રત છે અર્થાત્ દ્રવ્યભિક્ષ તરીકે પ્રસિદ્ધ છે. ૩૦૧ શ્લોકાર્ચ - કાષ્ઠનું ભેદન કરનાર હોવાથી સુથાર દ્રવ્યથી ભિક્ષુ કહેવાય છે, અને દ્રવ્યભિક્ષા ગ્રહણ કરવાનો સ્વભાવ હોવાથી બ્રાહ્મણાદિ વિશ્રુત છે=દ્રવ્યભિક્ષ તરીકે પ્રસિદ્ધ છે. In૩૦II ભાવાર્થ - અપ્રધાન દ્રવ્યભિક્ષનું સ્વરૂપ વર્ધકસુથાર, લાકડાને ભેદન કરનાર હોવાથી દ્રવ્યથી ભિક્ષુ છે. અહીં ભેદનક્રિયાને આશ્રયીને સુથારને દ્રવ્યભિક્ષુ કહેલ છે. જેમ કર્મને ભેદનાર હોવાથી ભાવસાધુ ભાવભિક્ષુ છે, તેમ બાહ્ય કાષ્ઠને ભેદનાર હોવાથી સુથાર દ્રવ્યભિક્ષુ છે. વળી બ્રાહ્મણાદિ બધા યાચક=માગનારા ન હોય તોપણ બ્રાહ્મણ જાતિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004687
Book TitleBhikshu Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy