SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પર ભિક્ષાત્રિશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ રીતે કરે છે કે જેથી ચિત્ત નિરુત્સુક-નિરુત્સુકતર થતું જાય, અને આત્મભાવમાં વિશ્રાંત ભાવવાળું બને; કે જેના કારણે સુખ-દુઃખ, જીવન-મૃત્યુ, શત્રુ-મિત્ર સર્વ પ્રત્યે સમભાવની વૃદ્ધિ થાય, અને સમભાવની વૃદ્ધિને અનુકૂળ સર્વ ઉચિત યતનામાં સુદઢ વ્યાપાર થાય. આ રીતે સમભાવની વૃદ્ધિને અનુકૂળ ઉચિત યતનામાં સુદઢ વ્યાપારવાળા ભાવસાધુ છે. (૨૫) રૂક્ષ :- મુનિ ભગવંતો રૂક્ષ હોય છે અર્થાત્ સંસારી જીવો સ્વજનાદિમાં સ્નિગ્ધ લાગણીવાળા હોય છે, તેવા સ્નિગ્ધ લાગણીવાળા મુનિ ભગવંતો નથી, તે અપેક્ષાએ મુનિ રૂક્ષ છે. વસ્તુતઃ આત્મભાવોથી સભર હોવાથી શુદ્ર જીવોના જેવા મુનિ રૂક્ષ નથી. આથી મુનિ જગતના જીવમાત્રના હિતને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરે છે. (૨૭) તીરાર્થી:- મુનિ ભગવંતો ભવના વાસ્તવિક સ્વરૂપનું સદા પર્યાલોચન કરે છે, તેથી તેમને ભવનો ભય સદા ઉપસ્થિત હોય છે. તેથી ભવના ઉચ્છદ માટે મુનિ ભગવંતો સતત ઉદ્યમવાળા રહે છે. તેથી મુનિ તીરાર્થી છે. સામાન્યથી સંસારી જીવો ભવના સ્વરૂપને વિચારતા નથી, તેથી માત્ર દૃષ્ટ પદાર્થોમાં પ્રવૃત્તિ કરીને ભવસમુદ્રમાં ડૂબે છે. વળી કેટલાક જીવો કાંઈક ભવના સ્વરૂપનો વિચાર કરે છે, તોપણ તે વિચારણા ક્ષણભર સ્પર્શે છે. તેથી ભવના ઉચ્છેદ માટે કાંઈક ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, તોપણ ભવનું વાસ્તવિક સ્વરૂપ સદા બુદ્ધિમાં સ્થિર ઉપસ્થિત રહેતું નથી, તેથી ધર્મની પ્રવૃત્તિ કરતી વખતે પણ વારંવાર ભવના ઉપાયોનું સેવન થતું હોય છે. જ્યારે મુનિ ભગવંતો તો શાસ્ત્રવચનથી ભવચક્રનું સ્વરૂપ તે રીતે વારંવાર ચિંતવન કરીને સ્થિર કરે છે કે જેથી ક્ષણભર પણ ભવના અનર્થોની વિસ્મૃતિ થાય નહિ, અને તેથી ભવના ઉપાયોનું લેશ પણ સેવન કર્યા વગર ભવથી તીર્ણ થવાના ઉપાયોને મુનિ ભગવંતો સેવે છે, માટે તેઓ તીરાર્થી છે. (૨૭) નિગ્રંથ :- મુનિભગવંતો નિગ્રંથ હોય છે અર્થાત્ તેમને કોઈ પદાર્થો પ્રત્યે સ્નેહનો પ્રતિબંધ નહિ હોવાથી ગ્રંથનો અભાવ છે તેથી તેઓ નિગ્રંથ છે. (૨૮) શ્રમણ - મુનિભગવંતો યોગમાર્ગમાં શ્રમ કરનાર હોવાથી તેમનામાં શ્રમણપણાનો યોગ છે, માટે મુનિભગવંતો શ્રમણ છે.૨૦ગારનારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004687
Book TitleBhikshu Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy