SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ આશય એ છે કે પાતંજલદર્શનકાર આત્માના ચૈતન્યમાં અવિષયકત્વસ્વભાવની કલ્પના કરે છે, પરંતુ આત્માના ચૈતન્યમાં સવિષયકત્વસ્વભાવની કલ્પના કરવામાં કોઈ બાધક ન હોય તો, સંસારી જીવોનું જ્ઞાન જેમ સવિષયત્વસ્વભાવવાળું છે તેમ મુક્ત આત્માનું જ્ઞાન પણ સવિષયકત્વસ્વભાવવાળું છે તેમ સ્વીકારવાથી જ્ઞાનમાં બે સ્વભાવની કલ્પના કરવાનું ગૌરવ પ્રાપ્ત થતું નથી; અને જો આત્મચૈતન્યમાં સવિષયકત્વ-સ્વાભાવ્યની કલ્પનામાં કોઈ બાધક પ્રાપ્ત થતું હોય, તો પાતંજલદર્શનકાર કહે છે તેમ જ્ઞાનના બે સ્વભાવની કલ્પના થઈ શકે, અને જો કોઈ બાધકની પ્રાપ્તિ ન હોય, તો જેમ સંસારી અવસ્થામાં જ્ઞાનશેયના વિષયને સ્પર્શીને જ્ઞાનરૂપે પ્રતીત છે, તેમ મુક્તિ અવસ્થાનું જ્ઞાન પણ શેયને સ્પર્શીને જ્ઞાનસ્વરૂપ છે તેમ સ્વીકારવું ઉચિત ગણાય. ઉત્થાન : તત્ત્વાર્થની સિદ્ધિ માટે ઉપચારના આશ્રયણનું અદુષ્ટપણું હોવાથી સાતબંધનું અને અસાતબંધનું પાતંજલદર્શનકારે જે વર્ણન કરેલું તે દોષરૂપ નથી એમ પૂર્વમાં પાતંજલદર્શનકારે સ્થાપન કરેલું. તેને ગ્રંથકારશ્રીએ કહેલ કે જો તત્ત્વાર્થરૂપ આત્મા તમને ચિદ્રપ અભિમત હોય તો મુક્તિઅવસ્થામાં આત્માને વિષયનો બોધ છે તેમ સ્વીકારવું જોઈએ, અને તેના માટે અત્યાર સુધી અનેક યુક્તિઓ આપી, અને સ્થાપન કર્યું કે મુક્તિ અવસ્થામાં આત્માને શેયનું પરિચ્છેદન છે. તેને જ દઢ કરવા માટે મુક્તિ અવસ્થામાં આત્માને શેયનું પરિચ્છેદન છે તેની સિદ્ધિ પાતંજલદર્શનકારના વચનથી બતાવવા અર્થે વિશ્વથી કહે છે – ટીકા : किञ्च विवेकाऽख्यातिरूपसंयोगाभावोऽपि विवेकख्यातिरूप एवेति विषयग्राहकचैतन्यस्य स्वतन्त्रनीत्यैवोपपत्तेः मुक्तावपि निर्विषयचिन्मात्रतत्त्वार्थासिद्धिः, तदुक्तं हरिभद्राचार्यः - “आत्मदर्शनतश्च स्यान्मुक्तिर्यत्तन्त्रनीतितः । તસ્ય જ્ઞાનસમાવેસ્તન્ઝયુવચેવ સધત” [વો વિવું ૪૨૭] કૃતિ ! ननु विवेकख्यातिरपि अन्तःकरणधर्म एव, तस्मिंश्च प्रकृतौ प्रविलीने न तद्धर्मस्थित्यवकाशः, न चैवं संयोगोन्मज्जनप्रसङ्गः, परेषां घटविलयदशायां Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy