________________
પ
મિત્રાધાવિંશિકા/શ્લોક-૧૯ અવંયમય :
(૧) યોગાવંચક :- સાધુનો યોગ અવંચક પ્રાપ્ત થાય તે યોગાવંચક છે.
(૨) ક્રિયાવંચક:- સાધુને આશ્રયીને કરાતી વંદનાદિ ક્રિયા અવંચક થાય તે ક્રિયાવંચક છે.
(૩) ફલાવંચક :- સાધુ પાસેથી પ્રાપ્ત થતો ઉપદેશ અવંચક બને તે ફલાવંચક છે.
આ બાહ્યકાર્યરૂપ અવંચકત્રયની પ્રાપ્તિમાં જીવમાં વર્તતી ત્રણ પ્રકારની અવ્યક્ત સમાધિ કારણ છે, અને તે ત્રણ પ્રકારની અવ્યક્ત સમાધિ પરમાર્થથી ત્રણ પ્રકારના અવંચકયોગ છે, અને તે અવ્યક્ત સમાધિનું કાર્ય આ બાહ્ય ત્રણ યોગો છે અને આ કાર્યરૂપ યોગોમાં કારણનો ઉપચાર કરીને અવંચકયોગ કહેલ છે. તેનાથી એ કહેવું છે કે જીવમાં કષાયોના વિગમનથી કંઈક ચિત્તની સ્વસ્થતારૂપ અવ્યક્ત સમાધિ પ્રાપ્ત થઈ છે જેથી સાધુનો યોગ તેના કલ્યાણનું કારણ બન્યો, પરંતુ વંચક ન બન્યો, તે યોગાવંચક છે; અને સાધુને જે વંદનાદિ ક્રિયા કરે છે તે આત્મકલ્યાણનું કારણ બની, પરંતુ નિષ્ફળ ન બની, તે ક્રિયાવંચક છે; અને સાધુ પાસેથી જે ઉપદેશ સાંભળ્યો તે પોતાના ગુણોના વિકાસનું કારણ બન્યો, પરંતુ નિષ્ફળ ન થયો અર્થાત્ સાધુના યોગના ફળરૂપ અને વંદનક્રિયાના ફળરૂપ જે સાધુનો ઉપદેશ, તે વંચક ન બન્યો, તે ફલાવંચકે યોગ છે.
સમાધિ કષાયના વિગમનથી થતી ચિત્તની સ્વસ્થતા. સમાધિ બે પ્રકારની છે - (૧) વ્યક્ત સમાધિ (૨) અવ્યક્ત સમાધિ.
(૧) વ્યક્ત સમાધિ :- તત્ત્વના પર્યાલોચનપૂર્વક ચિત્તને શાસ્ત્રાનુસારી પ્રવર્તાવીને કષાયોના વિગમન માટે કરાતો યત્ન તે વ્યક્તિ સમાધિ. જેમ ગીતાર્થ સાધુ શાસ્ત્રવચનના અવલંબનથી આત્માને ભાવિત કરતા હોય ત્યારે તેઓમાં વ્યક્ત સમાધિ વર્તે છે.
(૨) અવ્યક્ત સમાધિઃ કષાયના વિગમનથી થતો જીવમાં વર્તતો કોઈક એવો પરિણામ કે જેના કારણે (૧) ગુણવાનને જોઈને ગુણવાનરૂપે જોવાને અભિમુખભાવ પોતાનામાં પ્રગટ થયો, અને (૨) તેનાથી ઉલ્લસિત થઈને વંદનક્રિયા કરવાનો પરિણામ થયો, અને (૩) ગુણવાન પાસેથી પ્રાપ્ત થતા ઉપદેશને સમ્યગ્ રીતે જાણવા માટેનો યત્ન થયો, તે જીવમાં વર્તતો પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org