________________
મિત્રાદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮
કલ્યાણનાં કારણ છે અને સેવવા જેવાં છે.' આવા પ્રકારની ઉત્કૃષ્ટ શ્રદ્ધા યોગબીજ છે.
પર
(૨૦) ફળની ઉત્સુકતા વિના અતિશય બીજશ્રુતિના ગ્રહણનો પરિણામ :શાસ્ત્રના પદાર્થોનું શ્રવણ કરતાં યોગબીજોનું વર્ણન સાંભળીને ‘આ યોગબીજોનું સેવન કરીને હું અભ્યુદયની પ્રાપ્તિ કરું’=ભૌતિક ફળોને મેળવું, તેવી આશંસા ન હોય અને યોગબીજના સેવનકાળમાં ત્વરા ન હોય પરંતુ અતિશય યોગબીજ સેવનનો પરિણામ હોય, તો તે સેવનની ક્રિયા પણ યોગબીજ બને છે. ।।૧૭। અવતરણિકા :
પૂર્વ શ્લોક-૭માં કહ્યું કે મિત્રાદેષ્ટિવાળા યોગી, પતંજલિઋષિ પ્રણીત શાસ્ત્રોથી યમનું પ્રધાનપણું જાણીને સદ્ગુરુનો યોગ થાય ત્યારે જિનપ્રવચનથી સંભળાયેલા પણ યોગબીજને ગ્રહણ કરે છે, અને તે યોગબીજો ગ્રહણ કરવાનું પ્રબળ કારણ સદ્ગુરુનો યોગ છે. હવે તે સદ્ગુરુનો યોગ તેને પ્રાપ્ત થવામાં પ્રબળ કારણ શું છે ? તે બતાવે છે
શ્લોક :
—
निमित्तं सत्प्रणामादेर्भद्रमूर्तेरमुष्य च ।
शुभो निमित्तसंयोगोऽवञ्चकोदयतो मतः ॥ १८ ॥
અન્વયાર્થ ઃ
==અને ભદ્રમૂર્તોમુખ્ય:=ભદ્રમૂર્તિ એવા આના સત્પ્રળામાટે: નિમિત્ત= સત્પ્રણામાદિનું નિમિત્ત એવો શુક્ર્મ:=શુભ નિમિત્તસંયોગ:-નિમિત્તસંયોગ અવૠોયતો મતઃ-અવંચકના ઉદયથી મનાયો છે. ૧૮૫
શ્લોકાર્થ :
અને ભદ્રમૂર્તિ એવા આના સત્પ્રણામાદિનું નિમિત્ત એવો શુભ નિમિત્તસંયોગ અવંચકના ઉદયથી મનાયો છે. ।૧૮।
* ‘સત્પ્રળામાવે:' અહીં ‘આવિ’થી વૈયાવચ્ચ કરવું, ઉપદેશ શ્રવણ કરવો, તત્ત્વની પૃચ્છા કરવી તે ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org