________________
૧૯
મિત્રાદ્ધાત્રિશિકા/શ્લોક-૬ क्रियायां योगी फलमाश्रयते, तद्वचनाच्च यस्य कस्यचित् क्रियामकुर्वतोऽपि फलं भवतीति । तदाह- "(सत्यप्रतिष्ठायां) क्रियाफलाश्रयत्वं" (પા.યો.ફૂ. ૨-૩૬) ટીકાર્ય -
તી.શિયાનાશ્રયત્ન' ! તેના=અહિંસાના અભ્યાસવાળા યોગીના તિ=સાંનિધ્યમાં, વૈરનો ત્યાગ=સહજ વિરોધી એવા પણ સર્પ-નોળિયો વગેરેના હિંસકપણાનો પરિત્યાગ થાય છે.
તે કહેવાયું છે પૂર્વમાં કહ્યું કે અહિંસાના અભ્યાસવાળા યોગીના સાંનિધ્યમાં વૈરી જીવોના વૈરનો ત્યાગ થાય છે તે પતંજલિઋષિ વડે પાતંજલ યોગસૂત્રના ૨-૩૫ સૂત્ર મધ્યે કહેવાયું છે : “તેના સાંનિધ્યમાં વૈરનો ત્યાગ થાય છે.” (પા.યો.ફૂ. ૨-૩૫)
અને સત્યના અભ્યાસવાળાને અકૃત કર્મનું નહીં કરાયેલા અનુષ્ઠાનનું, પણ તદ્અર્થઉપનતિ લક્ષણ ફળ પ્રાપ્ત થાય છે.
સત્યના અભ્યાસવાળા યોગીને નહીં કરાયેલા અનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ થાય છે, તે અર્થને સ્પષ્ટ કરે છે –
કરાતી યાગાદિ ક્રિયા સ્વર્ગાદિ ફળને આપે છે. વળી આનું સત્ય આ યોગીનું સત્યવચન, તે પ્રકારે પ્રકર્ષવાળું થાય છે કે જે રીતે અકૃત પણ ક્રિયા હોતે છતે યોગી ફળનો આશ્રય કરે છે=યોગી તે ક્રિયાનાં ફળ પામે છે અને તેના વચનથી યોગીના વચનથી, ક્રિયાને નહીં કરતા એવા પણ જે કોઈને ફળ થાય છે.
તલાદ તેને કહે છે=સત્યવચનવાળાને જે ફળ મળે છે તેને “પાતંજલયોગસૂત્ર' ર-૩૬માં કહે છે –
“ક્રિયાફળનું આશ્રયપણું છે.” (પા.યો.ફૂ. ૨-૩૬) * * “વિદિતાનુ9નીપિ' “તાયાપિ ક્રિયાયાં' અહીં “પિ' થી એ કહેવું છે કે અનુષ્ઠાન કે ક્રિયા કરે તો તો ફળ મળે, પરંતુ નહીં કરવા છતાં ફળને મેળવે છે. ભાવાર્થ -
પ્રકર્ષને પામતા પ્રથમ બે યમોનાં ફળો આ પ્રમાણે છે – (૧) અહિંસાયમની સિદ્ધિનું ફળ :- કોઈ યોગી અહિંસાયમનો અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org