________________
મિત્રાદ્ધાત્રિશિકાશ્લોક-૨ ટીકાર્ય :
પ્રાવિયોના પ્રયોગનો.......મહાવ્રતમ્ રૂતિ પરા પ્રાણવિયોગના પ્રયોજનવાળો વ્યાપાર તે હિંસા, તેનો અભાવ=હિંસાનો અભાવ, તે અહિંસા. વાણી અને મનનું યથાર્થપણું તે સત્ય. પરધનનું અપહરણ તે તેમ=ચૌર્ય, તેનો અભાવ=ચૌર્યનો અભાવ, તે અસ્તેય. ઉપસ્થનો સંયમ=કામનો સંયમ, તે બ્રહ્મ છે. ભોગસાધનોનો અસ્વીકાર તે અકિંચનતા. આ=અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મ અને અકિંચનતા એ યમો છે.
તે કહેવાયું છે=અહિંસાદિ પાંચ યમો છે તે “પાતંજલયોગસૂત્રમાં કહેવાયું છે –
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ યમો છે.” (પાયો..ર૩૦) “ફતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
હવે દિકકાળાદિ અનવચ્છિન્નને દિફકાલાદિ અવિભક્તને, સ્પષ્ટ કરવા માટે પ્રથમ દિકકાળાદિ અવચ્છિન્નને દિફકાલાદિ વિભક્તને, બતાવે છે – - દિ–દેશ, અને તે કયા દેશ? તે સ્પષ્ટ કરે છે તીર્થાદિદેશ, કાળ=ચતુર્દશી આદિ, મારિ' શબ્દથી દિકાલાદિમાં રહેલા “માવિ' શબ્દથી બ્રાહ્મણાદિરૂપ જાતિનું અને બ્રાહ્મણાદિ પ્રયોજનરૂપ સમયનું ગ્રહણ કરવું. તેથી=દિકકાલાદિનો આવો અર્થ કર્યો તેથી, દિકાલાદિથી અનવચ્છિન્ન એવા યમો મહાવ્રત છે, એમ અન્વય છે.
“તીર્થમાં કોઈને હણીશ નહીં, એ દિકઅવચ્છિન્ન યમ છે. ચતુર્દશીમાં કોઈને હણીશ નહીં, એ કાલઅવચ્છિન્ન યમ છે. બ્રાહ્મણોને હણીશ નહીં, એ બ્રાહ્મણજાતિઅવચ્છિન્ન યમ છે.
દેવબ્રાહ્મણાદિ પ્રયોજન વગર કોઈને પણ હણીશ નહીં, એ બ્રાહ્મણાદિ પ્રયોજનરૂપ સમયઅવચ્છિન્ન યમ છે.”
આવા પ્રકારના અવચ્છેદ વિના=આવા પ્રકારના વિભાગ વિના, સર્વ વિષયવાળા અહિંસાદિ યમો સાર્વભૌમ છે=સર્વ ક્ષિપ્રાદિ ચિત્તભૂમિમાં સંભવતા મહાવ્રતો છે, એ પ્રમાણે કહેવાય છે.
તે કહેવાયું છે=દેશકાલાવચ્છિન્ન સાર્વભૌમ મહાવ્રતો છે તે, પાતંજલયોગસૂત્ર” ૨-૩૧માં કહેવાયું છે –
“વળી આ=અહિંસાદિયમો જાતિ, દેશ, કાળ અને સમયથી અનવચ્છિન્ન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org