SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ કેવલિભુક્તિવ્યવસ્થાપનહાગિંશિકા/શ્લોક-૧૪ ભાવાર્થ - (૧) દેહગત એવા સુખ-દુઃખનું ઇંદ્રિયોથી ઉભાવપણું હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ - | દિગંબરો કહે છે કે દેહગત સુખ-દુઃખ ઇંદ્રિયોથી અનુભવાય છે, અને કેવલીને ઇંદ્રિયજન્ય જ્ઞાન નથી, તેથી દેહગત સુખ-દુઃખ કેવલીને નથી; માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ઇંદ્રિયજન્ય સુખ-દુઃખ પ્રત્યે પ્રધાનપણે ઈન્દ્રિયોનો વ્યાપાર કારણ : ઇંદ્રિયોનો અર્થની સાથે સંબંધ થાય તેના કારણે જે સુખ કે દુઃખ ઉત્પન્ન થાય છે, તેમાં ઇન્દ્રિયોથી ઉદ્ભવતાનું આવશ્યકપણું છેeઇંદ્રિયોથી તે સુખનો કે . દુઃખનો ઉદ્ભવ છે, તેમ માનવું આવશ્યક છે. વળી આ ઇન્દ્રિયજન્ય સુખ કે દુઃખ આધ્યાત્મિક સુખ કે દુઃખ કરતાં વિલક્ષણ છે. જેમ સુંદર ભોજન કરતી વખતે ઇન્દ્રિયોને આલ્લાદ થાય છે ત્યારે સુખનો અનુભવ થાય છે અને ઇન્દ્રિયોને ઉપઘાતક એવી કટુ આદિ સામગ્રી ભોજનમાં આવે ત્યારે ભોજન કરનારને દુઃખનો અનુભવ થાય છે. આમ સુખદુઃખના અનુભવ પ્રત્યે ઇન્દ્રિયોના વ્યાપારની આવશ્યકતા છે. તેથી તે સુખદુઃખ પ્રત્યે પ્રધાનરૂપે કર્મ કારણ નથી, પરંતુ પ્રધાનરૂપે ઇન્દ્રિયોનો વ્યાપાર કારણ છે અને ગૌણરૂપે કર્મ કારણ છે; કેમ કે ઇન્દ્રિયનો તે તે વિષય સાથે સંબંધ થાય છે, ત્યારે તે નિમિત્તને પામીને કર્મ વિપાકમાં આવે છે. આધ્યાત્મિક સુખ-દુઃખ પ્રત્યે ચિત્ર પ્રકારનું કર્મ પ્રધાનરૂપે કારણ - વળી આધ્યાત્મિક સુખ-દુઃખ પ્રત્યે ઇન્દ્રિયોને ઇષ્ટ કે અનિષ્ટ પદાર્થોના સંપર્ક વગર જીવમાં અનુભવાતા સાતા-અસાતારૂપ સુખ-દુઃખ પ્રત્યે, ચિત્ર પ્રકારનું કર્મ પ્રધાનકારણ છે. અહીં પ્રશ્ન થાય કે જીવને સાતા-અસાતા થવામાં ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થો કે ઇન્દ્રિયોને પ્રતિકૂળ પદાર્થો કારણ છે, તેથી આધ્યાત્મિક સુખ-દુઃખમાં આત્માને સાતા-અસાતારૂપે અનુભવાતા સુખ-દુઃખમાં પણ ઇન્દ્રિયોનો વિષયોની સાથે સંપર્ક ધ્રુવપણે કારણ નથી, તેમ કેમ કહી શકાય ? તેમાં હેત કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy