SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ કેવલિભુક્તિવ્યવસ્થાપનહાત્રિશિકા/શ્લોક-૨૨ ભાવાર્થ - (૧૦) (iii) ભક્તિથી ઈર્ચાપથનો પ્રસંગ આવતો હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : દિગંબરો કહે છે કે જે સાધુઓ ભક્તિ કરે છે, તેઓ ભોજન કર્યા પછી ઈર્યાપથનું પ્રતિક્રમણ કરે છે, તેમ ભગવાનને પણ ભુક્તિ સ્વીકારવામાં ઈર્યાપથના પ્રતિક્રમણનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – જો દિગંબર કહે કે ભગવાનને ભક્તિ સ્વીકારવાથી ઈર્યાપથના પ્રતિક્રમણની પ્રાપ્તિ છે, તો ભગવાનને ગમનાદિ દ્વારા પણ ઈર્યાપથના પ્રસંગની પ્રાપ્તિ છે; કેમ કે સાધુઓ ગમનાદિ કરીને ઈર્યાપથનું પ્રતિક્રમણ કરે છે, તેમ કેવલીને પણ ગમનાદિ કરીને ઈર્યાપથનું પ્રતિક્રમણ સ્વીકારવાની આપત્તિ દિગંબરને સમાન છે. અહીં દિગંબર કહે કે કેવલીને સ્વાભાવિક ગમન છે, તેથી ગમન પછી ઈર્યાપથનું પ્રતિક્રમણ નથી અર્થાતુ જેમ સાધુઓ બુદ્ધિપૂર્વકની ગમનક્રિયા કરે છે, તેથી તે ગમન કર્યા પછી ઈર્યાપથનું પ્રતિક્રમણ કરે છે, તેમ કેવલી બુદ્ધિપૂર્વકની ગમનની ક્રિયા કરતા નથી, પરંતુ જેમ વાદળાઓનું અબુદ્ધિપૂર્વક સ્વાભાવિક ગમન હોય છે, તેમ કેવલીને પણ સ્વાભાવિક ગમનક્રિયા છે, માટે ગમનાદિ પછી ઈર્યાપથનું પ્રતિક્રમણ કેવલીને નથી. જો કેવલીને ભક્તિ સ્વીકારવામાં આવે તો ભક્તિ પછી કેવલીને ઈર્યાપથનું પ્રતિક્રમણ સ્વીકારવાની આપત્તિ આવે. તેને ગ્રંથકારશ્રી કહે છે – સ્વાભાવિક એવા કેવલીના ગમનની દૃષ્ટથી બાધા છે અર્થાત્ વાદળાં જેમ સ્વાભાવિક ગમન કરે છે, તેમ કોઈ પુરુષ સ્વાભાવિક ગમન કરે છે, તેમ સ્વીકારવામાં દષ્ટ અનુભવનો બાધ છે, માટે તે પ્રકારના ગમનની કલ્પના કરવી અશક્ય છે. તેથી જેમ ગમનાદિ કરવા છતાં કેવલીને ઈર્યાપથનો પ્રસંગ નથી, તેમ ભક્તિ કરવા છતાં કેવલીને ઈર્યાપથનો પ્રસંગ નથી, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. (૧૧) ભુતકાળમાં ધ્યાન અને તપનો વ્યય થતો હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ: શ્લોક-૪માં દિગંબરે કહેલ કે કેવલીને ભક્તિ સ્વીકારવામાં આવે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy