SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૧૯-૨૦ સારાંશ : • પરદ્રવ્યની પ્રવૃત્તિનો પ્રારંભ છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનકથી થાય છે, અને તે પ્રવૃત્તિની નિષ્ઠા છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનકે પણ થઈ શકે છે અને સાતમા આદિ અપ્રમત્તગુણસ્થાનકે પણ થઈ શકે છે. પરદ્રવ્યની પ્રવૃત્તિ પ્રમત્તગુણસ્થાનકે પ્રારંભ કરનારમાં પણ કેટલાક સાધુઓ સ્વભૂમિકા અનુસાર અપ્રમાદભાવવાળા હોય છે, તો પરદ્રવ્યની પ્રવૃત્તિથી પ્રમત્તગુણસ્થાનકે પણ અતિચાર પ્રાપ્ત થતો નથી. • પ્રમત્તગુણસ્થાનકે પણ જેઓ સ્વભૂમિકા અનુસાર અપ્રમાદભાવવાળા નથી, તેઓને પરદ્રવ્યની પ્રવૃત્તિકાળમાં અતિચાર લાગે છે. II૧૯ll અવતરણિકા - શ્લોક-૪માં દિગંબરે કહેલ કે ભક્તિથી નિદ્રાની, રાસનમતિજ્ઞાનની અને ઈર્યાપથની પ્રાપ્તિ છે, તેથી કેવલી કવલભોજન કરતા નથી, તેનું નિરાકરણ ક્રમસર શ્લોક-૨૦-૨૧ અને ૨૨ના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રી કરે છે; અને શ્લોક-૪માં દિગંબરે કહેલ કે કેવલી ભક્તિ સ્વીકારવાથી ભક્તિકાળમાં ધ્યાન અને તપનો વ્યય થાય છે, માટે કેવલી કવલભોજન કરતા નથી, તેનું નિરાકરણ શ્લોક-૨૨ના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : निद्रा नोत्पाद्यते भुक्त्या दर्शनावरणं विना । उत्पाद्यते न दण्डेन घटो मृत्पिण्डमन्तरा ।।२०।। અન્વયાર્થ દર્શનાવર વિના=દર્શતાવરણકર્મ વગર મુવજ્યા=ભુક્તિથી નિદ્ર=નિદ્રા નોત્પાદ્યતે ઉત્પન્ન થતી નથી (જેમ) કૃFિઇ મત્તા માટીના પિંડ વગર પહેર=દંડથી ઘટો ઘટ ન ઉત્પાદ્યતે–ઉત્પન્ન થતો નથી. ૨૦ શ્લોકાર્થ : દર્શનાવરણકર્મ વગર ભક્તિથી નિદ્રા ઉત્પન્ન થતી નથી. જેમ માટીના. પિંડ વગર દંડથી ઘટ ઉત્પન્ન થતો નથી. ર૦II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy