SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા'ના | શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક મ - શ્રુતસદનના સૂત્રધાર ઉપાધ્યાયજી મહારાજા : સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જિનશાસનના ગગનમાં ઉદય પામેલો જ્ઞાનસૂર્ય અઢારમી સદીના ઊગમ અવસરે મધ્યાકાશમાં આવીને પૂરબહારમાં ખીલી ઊઠ્યો ! અમર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાનું સર્વતોમુખી ને પડછંદ વ્યક્તિત્વ જૈન-જગતને ગૌરવોન્નત મસ્તકે રાખી શક્યું હતું. ઉપાધ્યાયજી મહારાજની તો એક જ મહેચ્છા હતી કે ખીલેલું કયું ફૂલ ખરતું નથી ? એક દિવસ હું પણ આ પૃથ્વી ઉપરથી વિદાય લઈશ, પણ જ્ઞાન અમર રહેવું જોઈએ.’ આ મહેચ્છાની પૂર્તિ માટે એમણે કલમ સજાવી હતી. જ્ઞાનદાનની ભાવના આગળ એમણે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું.' ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ મૈથિલી તાર્કિકોની નવ્ય ન્યાય શૈલીને જેનસૃષ્ટિમાં ઉતારવાની હામ ભીડી. લુપકોએ મૂર્તિપૂજા વિરુદ્ધ ચલાવેલી જોરદાર ઝુંબેશને જોઈને ‘પ્રતિમાશતક' અને “પ્રતિમાપૂજનન્યાય' જેવા ગ્રંથોમાં અકાઢ્ય તર્કો આપીને શાસનની રક્ષાનું અપૂર્વ કાર્ય બજાવ્યું. (એ “પ્રતિમાશતક' નામે અદ્ભુત ગ્રંથરત્નના શબ્દશઃ વિવેચનના ભા. ૧-૨-૩, ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા પ્રકાશિત થઈ ગયેલ છે. ભા. ૪ના શબ્દશઃ વિવેચનનું કાર્ય ચાલી રહ્યું છે.) “જ્ઞાનસાર” અને “અધ્યાત્મસાર’માં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કાવ્યરૂપે અગાધ જ્ઞાનરાશિના અમૃતને ઠાલવ્યું છે. (એ “અધ્યાત્મસાર ગ્રંથરત્નનું શબ્દશઃ વિવેચન ભા. ૧ પ્રકાશિત થયેલ છે. ભા. રનું કાર્ય ચાલી રહ્યું છે તથા જ્ઞાનસાર સ્વપજ્ઞ ટબાના આધારે શબ્દશઃ વિવેચન તૈયાર થયેલ છે, તે થોડા સમયમાં ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા પ્રકાશિત થશે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy