SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૨-૧૩ કરવામાં તે કાળ સાથે સંબંધ પામેલું કર્મ કાર્ય કરે છે, તેમ કહે છે, અને આ રીતે જગતનાં તમામ કાર્યો પ્રત્યે કર્મને જ કારણ સ્વીકારીને પુરુષકારનો સર્વથા નિષેધ કરે છે. તે તેમનો મત યુક્ત નથી, તેમ વ્યવહારનયવાદી કહે છે; અને તેમાં યુક્તિ બતાવે છે કે કોઈક પુરુષ આ ભવમાં વાણિજ્ય-રાજ્યસેવાદિ ક્રિયા કરે છે, તે ક્રિયા યત્ન કહેવાય છે, અને પૂર્વભવમાં જે કૃત્યો કરેલાં, તેનાથી ઉત્પન્ન થયેલું અને વાસનારૂપે રહેલું, અથવા તો તેવા પ્રકારના પુદ્ગલના ગ્રહણના સંબંધરૂપે રહેલું કર્મ કહેવાય છે. તેથી ફળનિષ્પત્તિ પ્રત્યે આ ભવનો યત્ન અને પૂર્વભવનું કર્મ બંને કારણ છે. માટે કર્મથી જ તે તે કાર્ય થાય છે, તે વાત યુક્ત નથી; કેમ કે સંસારી જીવોને પણ અર્થાદિ પ્રાપ્તિ પૂર્વભવમાં કરેલા કર્મથી થાય છે, તેમ આ ભવમાં વાણિજ્ય-રાજ્યસેવાદિ વિષયક યત્નથી થાય છે. માટે સર્વ કાર્યમાં દેવ અને પુરુષકાર ઉભય કારણ છે. તેથી માત્ર કર્મ જ કારણ છે એમ કહી શકાય નહીં. અહીં કહ્યું કે પૂર્વદેહથી જનિત વાસનારૂપે જે રહેલું હોય તે, અથવા તથાવિધ પુદ્ગલગ્રહણના સંબંધથી જે રહેલું હોય તે કર્મ કહેવાય છે. તેનો આશય એ છે કે જીવ પૂર્વભવમાં જે કૃત્યો કરે છે, તેનાથી બંધાયેલું પુણ્ય કે પાપ તે પ્રકારના પગલગ્રહણના સંબંધથી આત્મામાં રહેલું છે, આ પ્રકારે જેન દર્શનની માન્યતા છે; અને બૌદ્ધ દર્શન કર્મને વાસનારૂપે સ્વીકારે છે. તેની દૃષ્ટિથી વાસનારૂપે રહેલું કર્મ છે. આ બંને માન્યતાને સામે રાખીને કર્મનો અર્થ કરેલ છે. આવા અવતરણિકા : શ્લોક-૧૨માં કહ્યું કે સાંખ્ય દર્શનવાળા સર્વ કાર્ય પ્રત્યે કર્મને જ કારણ કહે છે. તેનું નિરાકરણ કરવા માટે કહ્યું કે તેની વાત બરાબર નથી; જે કારણથી આ ભવતું કર્મ=ક્રિયા, તે યત્ન કહેવાય છે, અને પૂર્વદહથી જનિત દેવ તે કર્મ કહેવાય છે. હવે યત્ન અને દૈવ બંને કઈ રીતે કાર્ય કરે છે? તે બતાવીને એકાંત કર્મથી=દેવથી કાર્ય થાય છે, તે પ્રકારની સાંખ્યની યુક્તિનું નિરાકરણ કરવા કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy