________________
૩૮
દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦-૧૧
અભાવ હોય છે. આ રીતે સ્ત્રીશરીરરૂપ કાર્યની સાથે દૈવરૂપ કારણની અન્વયવ્યતિરેકવ્યાપ્તિ છે. તેમ જ્યાં જ્યાં સ્ત્રીશરીરની નિષ્પત્તિ છે, ત્યાં ત્યાં સ્ત્રીશરીરની નિષ્પત્તિને અનુકૂળ જીવનો વ્યાપાર પણ છે, અને જ્યાં જ્યાં સ્ત્રીશરીરની નિષ્પત્તિને અનુકૂળ જીવનો વ્યાપાર નથી, ત્યાં ત્યાં સ્ત્રીશરીરની નિષ્પત્તિ પણ નથી. આ રીતે દૈવ અને પુરુષકાર બંનેના સ્વતંત્ર અન્વય-વ્યતિરેકની પ્રાપ્તિ છે. માટે કુર્વદ્નપત્વરૂપ વિશેષને આશ્રયીને દૈવ સ્ત્રીશરીર પ્રત્યે કારણ છે, પરંતુ પુરુષકાર સ્ત્રી શરીર પ્રત્યે કારણ નથી, તેમ કહી શકાય નહીં. I॥૧૦॥ અવતરણિકા :
अथ दैवोत्कर्षेण फलोत्कर्षदर्शनात्तदेव फलहेतुर्न यत्न इत्याशंकायामाह - અવતરણિકાર્ય :
હવે દૈવના ઉત્કર્ષથી ફળનો ઉત્કર્ષ દેખાતો હોવાથી, તે જ=દેવ જ, ફળનો હેતુ છે, યત્ન નહિ, એ પ્રકારની આશંકામાં કહે છે
ભાવાર્થ:
દૈવ અને પુરુષકારમાંથી જેમાં કુર્વદ્નપત્વ હોય તેને નિશ્ચયનયવાદી કાર્ય પ્રત્યે હેતુ માને છે, પરંતુ દૈવ અને પુરુષકાર બંનેને કાર્ય પ્રત્યે હેતુ માનતો નથી, એમ પૂર્વમાં સ્થાપન કર્યું. ત્યાર પછી વ્યવહારનયવાદી કાર્યમાત્ર પ્રત્યે દૈવ અને પુરુષકાર બંને કારણ છે, તેમ કહે છે તેમ બતાવ્યું, અને ‘સાપેક્ષ અસમર્થ છે' એ પ્રકારની નિશ્ચયનયવાદીની યુક્તિ ઉચિત નથી, તેમ વ્યવહારનયવાદીએ સ્થાપન કર્યું. વળી દૈવ અને પુરુષકારમાંથી કોઈ એક કુર્વદ્નપત્વરૂપ વિશેષને આશ્રયીને કાર્ય પ્રત્યે હેતુ છે તેમ માનવું પણ ઉચિત નથી, તેમ વ્યવહારનયે સ્થાપન કર્યું.
-
હવે દૈવના ઉત્કર્ષથી ફળનો ઉત્કર્ષ દેખાય છે, તેમ કહીને, કેટલાક દેવને જ ફળનો હેતુ કહે છે, યત્નને નહીં અર્થાત્ તેઓ માને છે કે કેટલાક પુરુષો ધન કમાવા માટે સમાન યત્ન કરતા હોય, આમ છતાં જેના દૈવનો ઉત્કર્ષ હોય તેને અધિક ધનની પ્રાપ્તિરૂપ ફળનો ઉત્કર્ષ દેખાય છે. તેથી નક્કી થાય છે કે દૈવ જ ફળનો હેતુ છે. જો યત્ન પણ ફળનો હેતુ હોત તો સમાન રીતે વ્યાપારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org