________________
૧૧૫
દેવપુરુષકારદ્વાચિંશિકાશ્લોક-૨૮ તેમાં દૃષ્ટાંત બતાવે છે –
કોઈ ભૂમિ રસાળ હોય તો રસાળ ભૂમિને કારણે જલોત્પત્તિ થાય છે. તેમાં પવન, ખનન આદિ નિમિત્તભાવરૂપે હેતુ છે, તોપણ જલોત્પત્તિ પ્રત્યે પવન, ખનનાદિ અનિયત હેતુ છે અર્થાત્ જે ભૂમિ રસાળ ન હોય અને પવનખનનાદિ બાહ્ય નિમિત્તો મળે તોપણ તે ભૂમિમાંથી જલોત્પત્તિ થતી નથી, અને જે ભૂમિ રસાળ હોય અને પવન, ખનનાદિ બાહ્ય નિમિત્તો મળે તો જલોત્પત્તિ થાય છે.
તેની જેમ – (૧) કોઈ સમ્યગ્દષ્ટિ જીવો ઉપરની ભૂમિકામાં જઈ શકે એવા રસાળ ભૂમિ જેવા હોય તેમને ઉપદેશ આપવાથી તેઓ જે ગુણસ્થાનકમાં હોય તે ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. તેવા જીવોને ઉપદેશ નિમિત્તરૂપ હેતુ છે.
(૨) વળી કેટલાક જીવો સમ્યક્તને પામેલા હોય, તો કેટલાક જીવો દેશવિરતિ કે સર્વવિરતિ ગુણસ્થાનકને પામેલા હોય, અને પોતે પ્રાપ્ત કરેલા ગુણસ્થાનકથી પાતને અભિમુખ થયા હોય, છતાં ઉપદેશના બળથી પાતથી તેઓનું રક્ષણ થઈ શકે તેવી રસાળ ભૂમિકાવાળા હોય, તો ઉપદેશરૂપ નિમિત્તને આશ્રયીને તેવા જીવોનું ગુણસ્થાનકના પાતથી રક્ષણ થાય છે. જેમ રસાળ ભૂમિ હોય અને પવન, ખનનાદિથી જલની ઉત્પત્તિ થાય છે, તેમ આવા જીવોનું ઉપદેશથી પાતના પરિણામથી રક્ષણ થાય છે.
(૩) વળી કેટલાક જીવો સમ્યકત્વ પામેલા હોય, તો વળી કેટલાક જીવો દેશવિરતિ કે સર્વવિરતિ ગુણસ્થાનક પામેલા હોય, અને સ્વશક્તિ અનુસાર ગુણસ્થાનકને અનુરૂપ ઉદ્યમ કરતા હોય, અને ઉપદેશ દ્વારા ઉપરના ગુણસ્થાનકમાં જઈ શકે તેવી શક્તિવાળા ન હોય, તેવા જીવોને આશ્રયીને ઉપદેશ ઉપયોગી બનતો નથી. જેમ રસાળ ભૂમિ ન હોય તો પવન-ખનનાદિ ક્રિયાથી જલોત્પત્તિ થતી નથી, તેમ જે જીવોમાં ઉપરના ગુણસ્થાનકનો આરંભ કરવાને અનુકૂળ રસાળ ભૂમિકા ન હોય તેમને ઉપદેશ ઉપયોગી બનતો નથી.
(૪) વળી, કેટલાક સમ્યગ્દષ્ટિ જીવો સમ્યક્ત પામ્યા પછી પાતને અભિમુખ થયા હોય અને ઉપદેશ દ્વારા ગુણસ્થાનકમાં ટકી શકે તેમ ન હોય તેવા જીવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org