SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧ અવતરણિકા : શ્લોક-૨૯માં કહ્યું કે મોક્ષપથને બતાવનારા એવા શાસ્ત્રથી જે સમ્યગ્ આચરણા કરાય તે ઈશ્વરનો અનુગ્રહ છે, અને શ્લોક-૩૦માં કહ્યું કે ભગવાને આપવા યોગ્ય સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રમય મોક્ષપથ છે તે એક સાથે આપ્યું છે, તેથી જે જીવો શાસ્ત્રને અવલંબીને સ્વશક્તિ અનુસાર આચરણમાં યત્ન કરતા નથી, અને માત્ર ભગવાનની ભક્તિથી ભગવાન પાસે યાચના કરે છે તેમને ભગવાન સાક્ષાત્ કાંઈ આપનાર નહિ હોવાથી તેમના ઉપર ભગવાનનો કોઈ અનુગ્રહ થશે નહિ. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ जिनेभ्यो याचमानोऽन्यं लब्धं धर्ममपालयन् । तं विह्वलो विना भाग्यं केन मूल्येन लप्स्यते ।। ३१ ।। અન્વયાર્થ: નવ્યં=પ્રાપ્ત એવા અત્યં=અન્ય ઘર્મમ્ =ધર્મને અપાતવ=નહિ પાળતો નિનેભ્યો=જિનો પાસેથી યાત્રમાનો=યાચના કરતો એવો વિશ્ર્વતઃ=વિહ્વળ પુરુષ માન્યં વિના=ભાગ્ય વગર ન મૂલ્યેન=કયા મૂલ્યથી તં=તેને અર્થાત્ યાચનાના વિષયભૂત પદાર્થને, ભષ્યને પ્રાપ્ત કરશે ? અર્થાત્ પ્રાપ્ત નહિ કરે. ।।૩૧।। શ્લોકાર્થ ઃ પ્રાપ્ત એવા અન્ય ધર્મને નહિ પાળતો, જિનો પાસેથી યાચના કરતો એવો વિહ્વળ પુરુષ ભાગ્ય વગર કયા મૂલ્યથી યાચનાના વિષયભૂત પદાર્થને પ્રાપ્ત કરશે ? અર્થાત્ પ્રાપ્ત નહિ કરે. II૩૧।। ભાવાર્થ : ૧૧૧ પ્રાપ્ત એવા અન્ય ધર્મને નહિ પાળતા અને જિનો પાસે યાચના કરતા એવા વિહ્વળ પુરુષને યાચનાના વિષયભૂત પદાર્થની અપ્રાપ્તિ :કેટલાક જીવો કલ્યાણના અર્થી છે, આમ છતાં સ્વશક્તિ અનુસાર જિનવચનનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004676
Book TitleIshanugrahavichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2009
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy