SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશાનુગ્રહવિચારદ્વાäિશિકા/શ્લોક-૨૫-૨૬ ૯૯ અનાદિશુદ્ધ છે કે સાદિશુદ્ધ છે, ભવનું કારણ એવું કર્મરૂપી છે કે અરૂપી છે” ઇત્યાદિ અતીન્દ્રિય વસ્તુનો નિર્ણય પરમાર્થનીતિથી કરી શકતા નથી, કેમ કે જેમ કોઈ અંધ પુરુષોના સમુદાય વચ્ચે વિવાદ ચાલતો હોય કે આ ઘટ નીલ છે, તો વળી અન્ય કોઈ કહે કે આ ઘટ કૃષ્ણ છે, તો વળી અન્ય કોઈ કહે કે આ ઘટ રક્ત છે, તો તે વિવાદનું ભંજન ચક્ષુ વગરના તે પુરુષો સ્વયં કરી શકે નહિ પરંતુ તેનો નિર્ણય કોઈ દેખતા પુરુષનો આશ્રય તે સર્વ અંધ પુરુષો કરે તો જ થઈ શકે. તેમ આત્માવિષયક, ઉપાસ્યવિષયક કે ભવના કારણે કર્મવિષયક છબસ્થ જીવોનો વિવાદ ચાલતો હોય તો અંધતુલ્ય તે છદ્મસ્થ જીવો તે વિશેષનો નિર્ણય કરીને વિવાદનું ભંજન કરી શકે નહિ, પરંતુ સર્વજ્ઞ બતાવેલા શાસ્ત્રવચનના અવલંબનથી તેનો વિશેષ નિર્ણય કરી શકે. llરપા અવતરણિકા: શ્લોક-૨પમાં દષ્ટાંતથી બતાવ્યું કે, અતીન્દ્રિય એવા આત્માદિ વસ્તુમાં છપ્રસ્થ જીવો વિશેષનો નિર્ણય કરી શકે નહિ, તેથી હવે સર્વજ્ઞના વચનથી તે વિશેષનો નિર્ણય છદ્મસ્થ જીવો સામાન્યથી કરી શકે છે. તે બતાવવા. અર્થે કહે છે – શ્લોક : हस्तस्पर्शसमं शास्त्रं तत एव कथञ्चन । अत्र तनिश्चयोऽपि स्यात्तथा चन्द्रोपरागवत् ।।२६।। અન્વયાર્થ: દસ્તસ્પર્શમં હસ્તસ્પર્શ જેવું શાસ્ત્ર શાસ્ત્ર છે, તત વ=તેનાથી જ શાસ્ત્રથી જ, ત્ર=અહીં=છઘ0 પ્રમાતામાં, થષ્યન=કોઈક પ્રકારથી તંત્રિયોપિક તેનો નિશ્ચય પણ અર્થાત્ અતીન્દ્રિય વસ્તુનો નિર્ણય પણ, તથા વન્દ્રોપરવિ=તે પ્રકારના ચંદ્ર ઉપરાગની જેમ થા=થાય. ૨૬ શ્લોકાર્ચ - હસ્તસ્પર્શ જેવું શાસ્ત્ર છે, શાસ્ત્રથી જ છપ્રસ્થ પ્રમાતામાં કોઈક પ્રકારથી અતીન્દ્રિય વસ્તુનો નિર્ણય પણ તે પ્રકારના ચંદ્ર ઉપરાગની જેમ થાય. !રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004676
Book TitleIshanugrahavichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2009
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy