SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : પાતંજલયોગલક્ષણવિચારવારિકા/બ્લોક-૧૫ ભાવાર્થ :િિત થી સર્વાર્થમ્ સુધીના કથનનો ભાવાર્થ :પાતંજલ મત પ્રમાણે પરપ્રકાશક એવી બુદ્ધિ દ્રષ્ટા એવા પુરુષથી પ્રકાશ્ય હોવાથી બાહ્ય વિષયોના બોધની પ્રાપ્તિ : પાતંજલ મત પ્રમાણે પુરુષરૂપ ચિતુશક્તિ છે, અને આ ચિતુશક્તિ પરિણામપરિણામીભાવ અને ગમન દ્વારા બુદ્ધિથી અસંકીર્ણ છે, તેથી અર્થથી પ્રતિબિંબરૂપે બુદ્ધિથી ચિતિશક્તિ સંકીર્ણ છે, એમ ફલિત થાય છે. ચિતિશક્તિ પરિણામ-પરિણામભાવથી બુદ્ધિથી અસંકીર્ણ કેમ છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે –. જેમ ઘટમાં રહેલા ઘટના રૂપાદિ ગુણો પરિણામ-પરિણામીભાવરૂપે વર્તે છે, ત્યારે ઘરૂપતાની જેમ પામે છે અર્થાત્ ઘટમાં રહેલ શ્યામરૂપ ઘટ પક્વ બને છે ત્યારે રક્ત સ્વરૂપ બને છે, તેથી ઘટનો રક્તગુણ પરિણામ-પરિણામી ભાવરૂ૫ છે અર્થાત્ ઘટ પરિણામી છે અને પરિણામી એવો ઘટ શ્યામરૂપમાંથી રક્તરૂપે પરિણમન પામે છે, તે વખતે અંગી એવા ઘટરૂપતાની જેમ તે રક્તરૂપ પ્રાપ્ત થાય છે અર્થાત્ પૂર્વમાં અંગી એવા ઘટરૂપતાસ્વરૂપ જે શ્યામરૂપ હતું તે હવે ઘટરૂપતાની જેમ રક્તસ્વરૂપે પ્રાપ્ત થાય છે. અંગાંગિભાવથી તેની જેમ ચિતિશક્તિ બુદ્ધિરૂપે પરિણમન પામતી નથી અર્થાત્ જેમ ઘટમાં રક્તરૂપ અંગાગિભાવરૂપે પરિણમન પામે છે, તેમ બુદ્ધિમાં ચિતિશક્તિ પુરુષ, અંગાંગિભાવરૂપે પરિણમન પામતો નથી. આનાથી એ ફલિત થાય કે જે વસ્તુના જે ગુણો હોય તે સર્વ ગુણો રૂપાંતર પામે છે, ત્યારે અંગિમાં ઉપસક્રમ પામે છે, તેમ ચિતિશક્તિ બુદ્ધિમાં ઉપસક્રમ પામતી નથી. ચિતિશક્તિ ગમનથી બુદ્ધિથી અસંકીર્ણ કેમ છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે - ગમન દ્વારા આલોકના પરમાણુઓ જેમ વિષયને વ્યાપીને રહે છે, તેમા ચિતિશક્તિથી બુદ્ધિ અવ્યTA -- પ્રકાશના પરમાણુઓ પ્રકાશક વસ્તુમાંથી પ્રસરતા ઘટ-પટાદિ વિષયને *** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy